કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી સીટ ઉપરાંત કેરળની વાયનાડ સીટ પરથી પણ ચૂંટણી લડશે. કોંગ્રેસે કહ્યું કે દક્ષિણ ભારતના પાર્ટી કાર્યકર્તા રાહુલ ગાંધીને સતત વાયનાડ સીટ પરથી ચૂંટણી લડવાની માંગ કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કાયકર્તાઓની માંગને સ્વીકારી લીધી છે. હવે તેઓ અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ સીટ પરથી પણ ચૂંટણી લડશે. વાયનાડ સીટ, ત્રણ રાજ્યો તમિલનાડુ, કેરળ અને કર્ણાટકથી ઘેરાયેલી છે.
કોંગ્રેસના સિનિયર નેતાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અંતે રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓની ભાવનાઓને ધ્યાનમાં લઈને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે અને તેઓ વાયનાડ લોકસભા સીટથી પણ ચૂંટણી લડશે. એન્ટનીએ કહ્યું કે કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાંથી અનેક વિનંતીઓ આવી હતી કે રાહુલ ત્યાંથી ચૂંટણી લડે. અહીંથી ચૂંટણી લડવાનું વધુ એક કારણ એ હતું કે ત્રણ દક્ષિણી રાજ્યોનું ત્રિકોણ છે. આ તે કેરળમાં આવેલું છે, પરંતુ તમિલનાડુ અને કર્ણાટકથી ઘેરાયેલું છે. એક પ્રકારે તે ત્રણ રાજ્યોની માંગને પૂરી કરશે.
AK Antony,Congress: Rahul ji has given his consent to contest from two seats, very happy to inform you that he will also contest from Wayanad in Kerala. #LokSabhaElections2019pic.twitter.com/Rt7IDNxr0D
કોંગ્રેસ પ્રવક્તા રણીદીપ સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી માટે અમેઠી કોઈ લોકસભા સીટને બદલે પરિવાર રહ્યો છે અને તેઓએ હંમેશા કહ્યું છે કે તેઓ અમેઠીથી ક્યારેય દૂર નહીં જાય. પરંતુ, ઉત્તર અને દક્ષિણ ભારતની સંસ્કૃતિઓના સંગમ તરીકે પાર્ટી અને રાહુલે કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.
Randeep Surjewala on whether Rahul Gandhi not confident in Amethi so contesting on 2 seats: Why did Modi ji leave Gujarat and contest from Varanasi? Was he not confident in Gujarat? These are immature and childish comments. She(Smriti Irani) will complete a hattrick of losses pic.twitter.com/AoDxHvC0y1
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા સીટથી પણ ચૂંટણી લડી રહ્યા છે જ્યાં તેમનો મુકાબલો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાથે થશે. સુરજેવાલાએ જણાવ્યું કે, અમેઠીથી બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઈરાની પર નિશાન સાધતા કહ્યું કે, આ વખતે તેઓ હારની હેટ્રિક કરશે. પહેલા નવી દિલ્હીથી હાર્યા, બીજી વાર અમેઠીથી અને ત્રીજી વાર પણ અમેઠીથી ચૂંટણી હારશે સ્મૃતિ ઈરાની.