કેરલમાં નિપાહ વાયરસથી 12 વર્ષના બાળકનું મોત (ફાઈલ ફોટો)
Kerala, nipah virus, Kerala, Nipah In kerala, Death from Nipah, Nipah virus, Kojhikode medical college, Centre rushes team to kerala, નિપાહ વાયરસ, કોરોના વાયરસ, કેરલ, નિપાહ વાયરસથી મોત, કેરલ સરકાર, કેન્દ્ર સરકાર, આરોગ્ય વિભાગ
નવી દિલ્હી: કેરળ અત્યારે કોરોના વાયરસની (Coronavirus) ચપેટમાં છે. રાજ્યમાં દરરોજ હજારો કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના સંક્રમણની સાથે હવે નિપાહ વાયરસે (Nipah Virus) પણ રાજ્યમાં દસ્તક આપી છે. રાજ્યના કોઝિકોડ ( kozhikode) જિલ્લામાં નિપાહ વાયરસ ચેપનો (Nipah Virus Infection)કેસ અહીં સામે આવ્યો છે. અહીં એક 12 વર્ષના બાળકનું મૃત્યુ આ વાયરસના ચેપને કારણે થયું છે. બાળકના મૃત્યુ પછી, વહીવટીતંત્ર તરત જ હરકતમાં આવ્યું અને બાળકના સંપર્કમાં આવેલા લોકોની તાત્કાલિક તપાસ કરવામાં આવી. આ માહિતી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી વીના જ્યોર્જે કહ્યું કે, કોઝીકોડ જિલ્લામાં એક બાળકને નિપાહ વાયરસના લક્ષણો મળ્યા બાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. તેમણે કહ્યું કે, અમે 188 પ્રાથમિક સંપર્કોની ઓળખ કરી છે. જેમાંથી 20 વ્યક્તિઓ હાઇ રિસ્ક કેટેગરીમાં છે. આ લોકોને આજ સાંજ સુધીમાં મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવશે.
આરોગ્ય મંત્રીએ કહ્યું કે, બાળકનો રૂટ મેપ પણ જાહેર કરવામાં આવશે. જેથી લોકોને ખબર પડી શકે કે તે ક્યાં લોકોના સંપર્ક છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે, લોકો તેમની તપાસ માટે અધિકારીઓનો સંપર્ક કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, બાળક સિવાય નિપાહ વાયરસનું ચેપ અન્ય 2 લોકોમાં પણ જોવા મળ્યું છે.
તેમણે કહ્યું કે સરકારે નિપાહ વાયરસનું સંક્રમણ રાજ્યમાં ન ફેલાય તે માટે ટીમોની રચના કરી છે. તેને રોકવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ અને અન્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ વાયરસથી ગભરાશે નહીં, પરંતુ ચેપના આ સમયગાળામાં સાવચેત રહે. જે લોકો બાળકના સંપર્કમાં આવ્યા છે તેમને સંસર્ગનિષેધની કડક ચેતવણી આપવામાં આવી છે.
નિપાહ વાયરસનો કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે કેરળમાં એક ટીમ મોકલી છે. આ ટીમ રાજ્યના અધિકારીઓને તકનીકી સહાય પૂરી પાડશે. આ સાથે, કેન્દ્ર સરકારે રાજ્યને જાહેર આરોગ્યના પગલાં વિશે પણ સલાહ આપી છે. કેન્દ્રએ નિર્દેશ આપ્યો છે કે રાજ્યમાં છેલ્લા 12 દિવસમાં પીડિત બાળકના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસીંગ કરવામાં આવે અને જિલ્લા મેજિસ્ટ્રેટે આવા લોકોના નમૂના એકત્રિત કરી તેમની તપાસ કરાવવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર