આઈએનએક્સ મીડિયા કેસમાં ઝડપાયેલા કાર્તિ ચિદંબરમે દિલ્હીની એક સ્થાનિક કોર્ટે પાંચ દિવસ માટે સીબીઆઈના રિમાન્ડમાં મોકલી દીધો છે. કોર્ટે કાર્તિને સીબીઆઈ રિમાન્ડ દરમિયાન પોતાના વકીલને મળવાની અને ડોક્ટરે આપેલ બતાવેલ દવા લેવાની પણ મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ ઘરેના ટિફીનની ના પાડી દીધી છે.
સીબીઆઈના સૂત્રો પ્રમાણે, રિમાન્ડ દરમિયાન કાર્તિની અધિકારીઓ સાથે થોડી દલીલો પણ થઈ હતી. આ દરમિયાન કાર્તિએ અધિકારીઓ સાથે હળવા મૂડમાં વાત કરતાં કહ્યું કે ખાવાનું ઓર્ડર માટે સ્વિગી અને જોમૈટો તો હશે જ. હું આનો આનંદ લેવા માંગુ છું. તપાસ અધિકારીઓએ તેને આ બાબતે ના પાડી તો પરત જવાબ આપતાં કહ્યું કે, તો પછી તમે સ્વિગી અને જોમૈટો લઈને આવો.
કાર્તિ ચિદમ્બરની ધરપકડને વાજબી ગણાવી દિલ્હીની એક કોર્ટે સીબીઆઈ દ્વારા આઈએનએક્સ કેસમાં કાર્તિ ચિદમ્બરની ધરપકડને વાજબી ગણાવી છે. તપાસ એજન્સીએ કહ્યું કે કાર્તિ તપાસમાં સહકાર આપી રહ્યા ન હતા તેમજ સતત વિદેશ યાત્રા પર રહેતા હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી છે. કાર્તિ તરફથી સીનિયર એડ્વોકેટ અભિષેક મનુ સિંઘવીએ તેનો વિરોધ કરતા કહ્યું કે, 'કેન્દ્રીય તપાસ એજન્સીએ ગયા મહિને તેના અસીલને સમન્સ મોકલ્યું ન હતું. તેમણે કાર્તિ તરફથી કહ્યું હતું કે, હું બીજાઓથી અલગ ભારત છોડીને જનારમાં નહીં પરંતુ ભારત પરત ફરનાર છું.'
વકીલે દલીલ કરી હતી કે કાર્તિ તપાસમાં સહકાર નથી આપી રહ્યા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિને 15 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આગ્રહ કરતા સીબીઆઈના વકીલે મેજિસ્ટ્રેટ સુમિત આનંદ સમક્ષ દલીલ કરી હતી. વકીલે દલીલ કરી હતી કે કાર્તિ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. તે સતત વિદેશ યાત્રા કરી રહ્યા છે. જેનાથી તેના દ્વારા પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવતા હોવાની વાતને પુષ્ટિ મળે છે.
વકીલે દલીલમાં કહ્યું હતું કે સીબીઆઈએ આઈએનએક્સ (પી) મીડિયા લિમિટેડની ડિરેક્ટર ઇન્દ્રાણી મુખરજીનું 17 ફેબ્રુઆરીના રોજ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધ્યું હતું. ઇન્દ્રાણીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે અહીં હયાત હોટલમાં આઈએનએક્સ મીડિયા તરફથી કાર્તિને રૂ. 10 લાખ અમેરિકન ડોલર જેટલી રકમ આપવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર