Home /News /national-international /કરણી સેના લેશે 'પદ્માવત'નો બદલો, ભણસાળીની મા પર બનાવશે 'લીલા કી લીલા' ફિલ્મ

કરણી સેના લેશે 'પદ્માવત'નો બદલો, ભણસાળીની મા પર બનાવશે 'લીલા કી લીલા' ફિલ્મ

રણી સેનાએ જિલ્લાધ્યક્ષ સામે આ ફિલ્મનીજાહેરાત કરી હતી. આ ફિલ્મનું નામ 'લીલા કી લીલા' હશે.

રણી સેનાએ જિલ્લાધ્યક્ષ સામે આ ફિલ્મનીજાહેરાત કરી હતી. આ ફિલ્મનું નામ 'લીલા કી લીલા' હશે.

મુંબઇ: કરણી સેનાએ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીથી બદલો લેવાનો નવો કિમીયો શોધી લીધો છે. કરણી સેના ફિલ્મનો બદલામાં ફિલ્મ બનાવશે. તે પણ સંજય લીલા ભણસાલીની માતા પર આ ફિલ્મ હશે.

રાજપૂત કરણી સેનાએ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની 'પદ્માવત'નો બદલો લેવાનું એલાન કરી લીધુ છે. કરણી સેના હવે ફિલ્મનાં બદલામાં ફિલ્મ બનાવશે. અને આ ફિલ્મ વિશે ગુરૂવારે એટલે કે આજે ચિત્તોડગઢમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું. કરણી સેનાએ જિલ્લાધ્યક્ષ સામે આ ફિલ્મનીજાહેરાત કરી હતી. આ ફિલ્મનું નામ 'લીલા કી લીલા' હશે.

ચિત્તોડગઢમાં કરણી સેના ફિલ્મનાં વિરોધમાં સતત પ્રદર્શન કરી રહી હતી. પણ હવે ફિલ્મ રિલીઝ થયા બાદ કરણી સેનાએ જિલ્લાધ્યક્ષ સહિત અન્ય પદાધિકારીઓએ આ જાહેરાત કરી દીધી છે. કરણી સેના અનુસાર, આ
ફિલ્મ માટે તેઓએ એક મહિના પહેલાથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

ફિલ્મ નિર્દેશક અરવિંદ વ્યાસનાં ડિરેક્શનમા આ ફિલ્મ બનાવવામાં આવશે. જેની શૂટિંગ રાજસ્થાનનાં અલગ અલગ વિસ્તારમાં થશે. હાલમાં આ ફિલ્મમાં કોણ કોણ એક્ટર હશે તે વિશે ખુલાસો કરવામાં આવ્યો નથી.
First published:

Tags: Karni sena

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો