Home /News /national-international /Karnataka Hijab Row: કર્ણાટક હિજાબ કેસઃ સુપ્રીમ કોર્ટમાં SGની દલીલ - કુરાનમાં ઉલ્લેખ માત્રથી જ હિજાબ અનિવાર્ય ધાર્મિક પરંપરા બની જતો નથી
Karnataka Hijab Row: કર્ણાટક હિજાબ કેસઃ સુપ્રીમ કોર્ટમાં SGની દલીલ - કુરાનમાં ઉલ્લેખ માત્રથી જ હિજાબ અનિવાર્ય ધાર્મિક પરંપરા બની જતો નથી
ફાઇલ તસવીર
Karnataka Hijab Row: કર્ણાટક હિજાબ મામલે સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ એસજી તુષાર મહેતાએ દલીલ કરી હતી કે ડ્રેસનું ઉદ્દેશ્ય શું છે? કોઈએ હું હીન અનુભવું છું તે વિચારીને ડ્રેસ પહેરવો જોઈએ નહીં. ડ્રેસ એકરૂપતા અને સમાનતા માટે છે. જ્યારે તમે હદ વટાવો છો, તો તમારું પરીક્ષણ પણ હદની બહાર જ થાય છે.
નવી દિલ્હીઃ કર્ણાટક હિજાબ વિવાદ મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી અને અરજીકર્તા હિજાબ જરૂરી ધાર્મિક પરંપરા છે તે સાબિત કરી શક્યા નહોતા. કેટલાક ઇસ્લામિક દેશોમાં હાલ મહિલાઓ હિજાબ સામે લડત ચલાવી રહી છે. તેથી હિજાબ કોઈ અનિવાર્ય ધાર્મિક પરંપરા નથી. કુરાનમાં માત્ર હિજાબનો ઉલ્લેખ હોવાથી ઇસ્લામ ધર્મની અનિવાર્ય ધાર્મિક પરંપરા નથી બની જતી. મહેતાએ દલીલ કરી હતી કે, વેદશાળા અને પાઠશાળા બંને અલગ છે. જો આપણે સેક્યુલર ઇન્ટેલિજન્સને પસંદ કરીએ છીએ તો આપણે નિયમોનું પણ પાલન કરવું જોઈએ.
એસજી તુષાર મહેતાની સુપ્રીમ કોર્ટમાં દલીલ
1. એસજીએ અમેરિકન સુપ્રીમ કોર્ટના એક ફેંસલાને ટાંકતા કહ્યુ હતુ કે, આ ચુકાદાનો ઉલ્લેખ 2020માં લખાયેલા એક આર્ટિકલમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે વીસીની સુનાવણીમાં કેઝ્યુએલ ડ્રેસમાં વકીલોની રજૂઆતના કેસ સામે આવ્યા હતા. તેમણે કહ્યુ કે, ફ્રી સમયમાં મેં આ મામલે તપાસ કરી હતી અને જાણકારી મળી હતી. એક અમિરકન ચુકાદાને ટાંકતા તેમણે કહ્યુ હતુ કે, એક વકીલ ટોપી પહેરીને અદાલતમાં આવીને કહે છે કે, આ ઓપરેશન થન્ડરસ્ટોર્મનો હિસ્સો છે. જજ આપત્તિજનક ગણાવે છે. આમ, એક વિનિયમિત મંચમાં કોર્ટ દ્વારા આયોજિત પ્રતિબંધને ચાલુ રાખવો ઉચિત છે.
2. ડ્રેસનો ઉદ્દેશ્ય શું છે? કોઈએ એવું વિચારીને ડ્રેસ ના પહેરવો જોઈએ કે તે પહેરીને તે હીન હોવાનો અહેસાસ કરશે. ડ્રેસ એકરૂપતા અને સમાનતા માટે છે. જ્યારે તમે તે સીમાને પાર કરવા માગો છો ત્યારે તમારું પરીક્ષણ પણ ઉચ્ચ સીમાએ જ થાય છે.
3. અરજીકર્તાએ એવો કોઈ દાવો નથી કર્યો કે, અનાદિકાળથી હિજાબ પહેરવી તે એક પ્રથા રહી છે. શું તે એટલું મહત્ત્વપૂર્ણ છે કે તે ના પહેરવાથી તેને ધર્મની બહાર કાઢી નાંખવામાં આવે.
4. અરજીકર્તાઓ દ્વારા એવો કોઈપણ દાવો નથી કરવામાં આવ્યો કે, આ પ્રથા ધર્મ સાથે જ શરૂ થઈ હતી. શિક્ષણને ધર્મની સાથે સહ-અસ્તિત્વના રૂપે દેખાડવું જોઈએ.
5. એસજી મહેતાએ કહ્યુ છે કે, ધાર્મિક પરંપરા કે પ્રેક્ટિસ પચાસ-પચ્ચીસ વર્ષથી ચાલતી આવે તેવું નથી. રિલિજિયસ પ્રેક્ટિસ ધર્મની શરૂઆતથી જ ચાલુ હોય તે જ હોય છે. તે ધર્મનું અભિન્ન અંગ હોય છે. ઉદાહરણ તરીકે કહીએ તો, તાંડવ નૃત્ય સનાતન ધર્મની પ્રાચીન અવધારણા છે, પરંતુ જો કોઈ કહે છે કે, રસ્તા પર તાંડવ કરતાં ચાલવું અમારી ધાર્મિક પરંપરા છે તો તે સાચું નથી.
6. શિક્ષણનું શિખ ધર્મમાં પાઘડી અને કડું જેવું મહત્ત્વ હોવું જોઈએ. તમે દુનિયાના કોઈપણ ખૂણામાં જાવ પણ શીખ કડું અને પાઘડી વગર તો જોવા નહીં મળે અને કદાચ તે બંને વગર તેમની કલ્પના પણ ન કરી શકાય.
7. એસજી મહેતાએ આદેશ વાંચતા કહ્યુ કે, વિદ્યાર્થીઓ એવો યુનિફોર્મ પહેરે છે કે જે સમાનતા અને એકતા સાથે સારી રીતે બંધબેસતો છે અને તે યુનિફોર્મ કોઈ ધર્મની સવિશેષ ઓળખ નથી. તમે માત્ર એક વિદ્યાર્થી તરીકે જ ત્યાં જાવ છો.
8. હું મારા વિચારોને સંક્ષિપ્તમાં જ જણાવીશ. વર્દી નક્કી કરવા માટે એક સંવૈધાનિક શક્તિ છે. નિયમોનું પાલન થાય છે કે નહીં તે કરવા માટે સ્કૂલો આદેશ જાહેર કરી શકે તે માટે સરકાર પાસે એક વૈધાનિક શક્તિ છે. આ શક્તિનો પ્રયોગ એક સારું અને ઉચિત ઔચિત્ય હતું.
9. એસજીએ પોલીસ દળોમાં દાઢી રાખવા કે વાળ વધારવા મામલે પ્રતિબંધ મૂક્યો છે તે વિશે અમેરિકન કોર્ટના એક ચુકાદાને ટાંક્યો હતો. આ મામલે જસ્ટિસ ગુપ્તાએ કહ્યુ હતુ કે, અમારી પાસે એક સમાનાંતર નિર્ણય છે. એરમેને દાઢી રાખવાની મંજૂરી નથી, પરંતુ સશસ્ત્ર દળોમાં અનુશાસનું સ્તર વિદ્યાર્થીઓના સ્તર કરતાં અલગ હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર