Home /News /national-international /સુપ્રીમથી આંશિક રાહત બાદ કુમારસ્વામીએ કહ્યું, ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છું

સુપ્રીમથી આંશિક રાહત બાદ કુમારસ્વામીએ કહ્યું, ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છું

મંગળવાર સુધી બળવાખોર ધારાસભ્યોના રાજીનામા પર સ્પીકર કોઈ નિર્ણય ન લે : સુપ્રીમ કોર્ટ

મંગળવાર સુધી બળવાખોર ધારાસભ્યોના રાજીનામા પર સ્પીકર કોઈ નિર્ણય ન લે : સુપ્રીમ કોર્ટ

ન્યૂઝ18 ગુજરાતી : કર્ણાટકમાં ચાલી રહેલા સંકટ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મામલાને મંગળવાર સુધી ટાળી દીધો છે અને કહ્યું કે ત્યાં સુધી યથા સ્થિતિ રહે. સુપ્રીમ કોર્ટે વિધાનસભા સ્પીકરને કહ્યું છે કે આ દરમિયાન વિધાનસભા સ્પીકર ન તો ધારાસભ્યોના રાજીનામા પર કે તેમને અયોગ્ય કરાર કરવાને લઈ કોઈ નિર્ણય નહીં લઈ શકે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વિધાનસભામાં સ્પીકરને પોતાનું બહુમત સાબિત કરવાનો સમય માંગ્યો છે. કુમારસ્વામીએ કહ્યું કે રાજ્યમાં જે કંઈ થયું, ત્યારબાદ તેઓ પોતાનું બહુમતમ સાબિત કરવા તૈયાર છે. તેઓએ કહ્યું કે, હું ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છું.

આ પહેલા બળવાખોર ધારાસભ્યો તરફથી રજૂઆત કરી રહેલા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, વિધાનસભા અધ્યક્ષે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે ધારાસભ્યોને મારી પાસે આવવું જોઈતું હતું તેમને સુપ્રીમ કોર્ટ પાસે નહોતું જવું જોઈતું. સ્પીકરે કહ્યું કે મારે આખી રાત રાજીનામાઓ વાંચવાના છે. જનતા પ્રત્યે જવાબદારી છે.

બળવાખોર ધારાસભ્યો તરફથી કહેવામાં આવ્યું કે સ્પીકરે કાલે કહ્યું કે સુપ્રીમ કોર્ટ અમને નિર્દેશ ન આપી શકે. સ્પીકરે એમ પણ કહ્યું હતું કે હું પહેલા રાજીનામાને જોઈશ અને બાદમાં નિર્ણય લઈશ અને હુજ સુધી કોઈ નિર્ણય નથી લીધો. બળવાખોર ધારાસભ્યોની તરફથી કહેવામાં આવ્યું છે કે મામલો માત્ર રાજીનામાનો છે. બળવાખોર ધારાસભ્યો પબ્લિક, ટીવી અને કોર્ટ દરેક સ્થળે કહી રહ્યા છે કે તેઓ રાજીનામા આપવા માંગે છે.

તેની પર ચીફ જસ્ટિસે પૂછ્યું કે સ્પીકરનો નિર્ણય શું છે? તો બળવાખોર ધારાસભ્યો તરફથી કહેવામાં આવ્યું કે હજુ સુધી સ્પીકર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. આજથી વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. સ્પીકર ધારાસભ્યોને અયોગ્ય કરાર કરવા માંગે છે. મુકુલ રોહતગીએ કહ્યું કે, કોંગ્રેસ તરફથી વ્હિપ જાહેર કરવામાં આવ્યો છે અને આ રીતે તો તેઓ અયોગ્ય જાહેર થઈ જશે.

કર્ણાટક વિધાનસભા સ્પીકર તરફથી રજૂઆત કરી રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેમનું સભ્યપદ ખતમ કરવાનો મામલો પણ ચાલી રહ્યો છે. એવામાં રાજીનામાનો મામલો ન નથી બનતો.
First published:

Tags: HD Kumaraswamy, JDS, Karnataka Crisis, Supreme Court, કોંગ્રેસ, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો