નવી દિલ્હીઃ પંજાબ (Punjab)માં વિજયદશમી (Dussehra 2020)ના અવસરે રાવણના પૂતળામાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના માસ્ક સળગાવવા પર રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા (BJP President JD Nadda)એ કહ્યું છે કે પંજાબમાં આ ડ્રામા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના ઈશારે થયો છે. નડ્ડાએ કહ્યું કે આ ઘટના શરમજનક તો છે પરંતુ અનપેક્ષિત નથી.
જેપી નડ્ડાએ કહ્યું કે, નહેરુ-ગાંધી પરિવારે ક્યારે પણ વડાપ્રધાન પદનો આદર નથી કર્યો. 2004-2014ની વચ્ચે પણ આવું જ જોવા મળ્યું હતું જ્યારે યૂપીએના શાસનકાળમાં પીએમ પદને સંસ્થાગત રીતે નબળું પાડી દેવામાં આવ્યું હતું.
The Rahul Gandhi-directed drama of burning PM’s effigy in Punjab is shameful but not unexpected. After all, the Nehru-Gandhi dynasty has NEVER respected the office of the PM. This was seen in the institutional weakening of the PM’s authority during the UPA years of 2004-2014.
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, એક પરીવારની એક એવી વ્યક્તિ પ્રત્યે નફરત ફેલાવે છે જે ગરીબીમાં જન્મ્યો છે અને વડાપ્રધાન બની ઈતિહાસ રચ્યો છે અને એટલું જ ઐતિસાહિક ભારતના લોકોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પ્રેમ છે. જેટલું કૉંગ્રેસ જુઠું બોલે છે, એટલી જ તેમની નફરત વધે છે. એટલા જ પ્રમાણમાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરશે.
One dynasty’s deep personal hatred against a person who was born in poverty and became PM is historic. Equally historic is the love people of India have showered upon PM @narendramodi. More Congress’ lies and hate increases, the more people will support PM Modi!
બીજી તરફ રાહુલ ગાંધીએ આ ઘટના પર કહ્યું છે કે સમગ્ર પંજાબમાં વડાપ્રધાન મોદીના પૂતળું સળગાવવામાં આવ્યા. રાહુલે કહ્યું કે આ દુખદ છે કે પંજાબમાં વડાપ્રધાન પ્રત્યે લોકોમાં ગુસ્સો આ સ્તર સુધી પહોંચી ગયો છે. વડાપ્રધાન મોદીને આ લોકો સાથે વાત કરવી જોઈએ.
નોંધનીય છે કે, રવિવારે પંજાબમાં કેટલાક લોકોએ રાવણના પૂતળામાં પીએમ નરેન્ર્સ મોદીના માસ્ક લગાવીને આ પૂતળાઓને આગને હવાલે કરી દીધા. તેની પર બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ભડકતાં કહ્યું કે પંજાબમાં પીએમ મોદીના પૂતળા સળગાવવા શરમજનક ડ્રામા રાહુલ ગાંધીના દ્વારા નિર્દેશિત છે, પરંતુ તેમની પાસેથી આવી અપેક્ષા નહોતી.
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ઘણા દિવસોથી પ્રદર્શન થઈ રહ્યા છે. આ કડીમાં રવિવારે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું. પંજાબની કેપ્ટન અમરિંદર સિંહ સરકારે કેન્દ્રના કૃષિ કાયદાને અસરહન કરવા માટે રાજ્યની વિધાનસભામાં ચાર બિલ પાસ કર્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર