Home /News /national-international /J&K: સેના-આતંકીઓ વચ્ચે બડગામમાં એન્કાઉન્ટર, બે આતંકી ઠાર મરાયા

J&K: સેના-આતંકીઓ વચ્ચે બડગામમાં એન્કાઉન્ટર, બે આતંકી ઠાર મરાયા

આતંકવાદીઓ વિરુદ્ધ 53 રાષ્ટ્રીય રાઇફલ્સ, બડગામ પોલીસ અને સીઆરપીએફ તરફથી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે

આતંકવાદીઓ વિરુદ્ધ 53 રાષ્ટ્રીય રાઇફલ્સ, બડગામ પોલીસ અને સીઆરપીએફ તરફથી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓ સામે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં મળતા સમાચાર મુજબ બે આતંકી ઠાર મરાયા છે. બડગામ જિલ્લાના ચરી શરીફમાં આતંકવાદીઓ વિરુદ્ધ 53 રાષ્ટ્રીય રાઇફલ્સ, બડગામ પોલીસ અને સીઆરપીએફ તરફથી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

ત્રીજો આતંકવાદી હજુ છૂપાયો હોવાના કારણે એન્કાઉન્ટર હજુ ચાલી રહ્યું છે.

 ઉલ્લેખનીય છે કે, બે સપ્તાહ પહેલાં ત્રાલમાં થયેલા એક ભીષણ એન્કાઉન્ટરમાં તૌસીફ સહિત ત્રણ આતંકી માર્યા ગયા હતા. એન્કાઉન્ટર દરમિયાન આતંકીઓને બચાવવા માટે હિંસક થયેલા આતંકી સમર્થક તત્વો તથા સુરક્ષાકર્મીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં 11 લોકો ઘાયલ થયા હતા. હિંસા પર કાબૂ મેળવવા માટે સુરક્ષાદળોને હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.
First published:

Tags: CRPF, J&K, આતંકી, એન્કાઉન્ટર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો