Home /News /national-international /Jammu kashmir: બડગામમાં આતંકવાદીઓએ એક નાગરિકની ગોળી મારી હત્યા કરી, પુલવામામાં એક મજૂરને નિશાન બનાવ્યો

Jammu kashmir: બડગામમાં આતંકવાદીઓએ એક નાગરિકની ગોળી મારી હત્યા કરી, પુલવામામાં એક મજૂરને નિશાન બનાવ્યો

ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. (ફાઇલ ફોટો)

Terrorist Attack in Budgam: સોમવારે બડગામ જિલ્લાના ગોટપોરામાં આતંકવાદીઓ દ્વારા એક નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ માહિતી પોલીસે આપી હતી.

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં સેના અને પોલીસ (Jammu Police)ની કડકાઈ બાદ હવે આતંકીઓમાં ભયનો માહોલ છે. તેમની યોજનામાં નિષ્ફળ ગયા બાદ હવે આતંકવાદીઓ નાગરિકોને પોતાના નિશાન બનાવી રહ્યા છે. સોમવારે બડગામ જિલ્લાના બડગામમાં આતંકવાદીઓએ એક નાગરિકની ગોળી મારીને હત્યા કરી હતી (Terrorist Attack in Budgam). આ માહિતી પોલીસે આપી હતી. બડગામ એસપીએ જણાવ્યું કે જે વ્યક્તિને ગોળી વાગી હતી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો પરંતુ રસ્તામાં તેનું મોત થઈ ગયું. આતંકવાદીઓ દ્વારા ગોળી મારનાર વ્યક્તિનું નામ તજમુલ મોહિદ્દીન રાથર જણાવવામાં આવી રહ્યું છે.



બડગામની ઘટના ઉપરાંત પુલવામાથી પણ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક બિન સ્થાનિક મજૂરને આતંકવાદીઓએ ગોળી મારી હતી. મજૂરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના બાદ સુરક્ષા દળોએ બંને વિસ્તારોને ઘેરી લીધા છે અને આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો- Uttarakhand New CM: પુષ્કર સિંહ ધામી બનશે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ થયા

તમને જણાવી દઈએ કે સેના અને રાજ્ય પોલીસ આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવવા માટે સાથે મળીને કામ કરી રહી છે. સેના અને પોલીસની કડકાઈના કારણે આતંકીઓના ઘૂસણખોરીના પ્રયાસો પણ નિષ્ફળ થઈ રહ્યા છે. આ પહેલા શુક્રવારે પોલીસે પુલવામામાં એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો, જેમાં પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો- જનરલ બિપિન રાવત અને ગુલામ નબી આઝાદ સહિત 64 હસ્તીઓને મળ્યો Padma Award, જુઓ તસવીરો

તમને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir News)માં 6 માર્ચના રોજ શ્રીનગરમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો (Terrorist attack in Srinagar) હતો જેમાં 12 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આતંકીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આતંકવાદીઓના આ હુમલામાં એક નાગરિકનું મોત થયું હતું.
First published:

Tags: Jammu and kashmir, Jammu Kashmir, Jammu Kashmir News, Terrorists Attack, જમ્મુ-કાશ્મીર Jammu-kashmir