નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના ( Jammu Kashmir)શોપિયામાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ (Shopian encounter) થઇ છે. આ અથડામણમાં સુરક્ષા બળોએ એક આતંકીને ઢેર (terrorist killed)કર્યો છે. જોકે આ અથડામણમાં બે જવાન શહીદ (jawans martyred)થયા છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા બળો પોતાની પોઝિશન પર આગળ વધી રહ્યા છે. કાશ્મીર ઝોન પોલીસે આ માહિતી આપી છે. કાશ્મીર ઝોન પોલીસના મતે શોપિયાના જૈનાપોરા વિસ્તારના ચેરમાર્ગમાં અથડામણ ચાલી રહી છે. પોલીસ અને સુરક્ષા બળો પોતાના પોઝિશન પર ડટેલા છે. બીજી જાણકારી જલ્દી આપવામાં આવશે.
અથડામણ શનિવારે સવારે એ સમયે શરૂ થઇ જ્યારે સુરક્ષા બળોને આતંકીઓની હાજરીની સૂચના મળ્યા પછી વિસ્તારની ઘેરાબંધી કરવાનું શરુ કર્યું હતું. વિસ્તારમાં કેટલા આતંકી છે તેની સૂચના નથી પણ સુરક્ષા બળોએ વિસ્તારને ચારેય તરફથી ઘેરી લીધો છે. સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બન્ને તરફથી ફાયરિંગની પણ સૂચના છે.
પોલીસના મતે જૈનપોરાના ચેરમાર્ગમાં સુરક્ષા બળોને આંતકીઓ હોવાની સૂચના મળી હતી. આ પછી એસઓજી, સેના અને સીઆરપીએફના સંયુક્ત દળ ત્યાં પહોંચી ગયા અને સઘન તલાશી અભિયાન ચલાવ્યું હતું. સુરક્ષા બળોએ આત્મસમર્પણ કરવા માટે કહ્યું તો આતંકવાદીઓએ સુરક્ષા બળો પર ગોળીબારી શરુ કરી હતી. જેના જવાબમાં સુરક્ષા બળના જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો અને એક આતંકીને ઢેર કર્યો હતો.
થોડા દિવસો પહેલા જૈશ કમાંડર સહિત 5 આતંકીને ઠાર કર્યા હતા
થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદીઓ સામે સુરક્ષા બળોના બે એન્કાઉન્ટર (Pulwama and Budgam encounter) થયા હતા. જેમાં સુરક્ષાદળોએ પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા. આ પાંચ આતંકવાદીઓમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો (Jaish e Mohammad) કમાન્ડર ઝાહિદ વાની (Zahid Wani) અને એક પાકિસ્તાની (Pakistani Terrorists) આતંકવાદીનો સમાવેશ થતો હતો. માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. આ બંને એન્કાઉન્ટર પુલવામા અને બડગામમાં થયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર