Jahangirpuri Violence: દિલ્હીનાં જહાંગીરપુરી હિંસામાં હનુમાન જયંતી પર થયેલી હિંસા મામલે સતત અપડેટ આવી રહ્યાં છે. હિંસાવાળી જગ્યા પર એમસીડીનાં એક્શન પર સુપ્રીમ કોર્ટની આજે સુનાવણી છે. આ પહેલાં કોર્ટે બુલડોઝર પર રોક લગાવી હતી.
નવી દિલ્હી: દિલ્હીમાં 16 એપ્રિલ એટલે કે હનુમાન જયંતીનાં અવસર પર જહાંગીરપુરી વિસ્તારમાં હિંસા મામલે સતત અપડેટ આવી રહ્યાં છે. હનુમાન જયંતી પર થયેલી હિંસા બાદ ચર્ચામાં આવેલાં જહાંગીર પુરીમાં બુધવારે એમસીડીની ગેરકાયદેસર કબ્જો થયો. કાર્યવાહી પર આજે એટલે કે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે આ પહેલાં બુધવારે સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી હતી. તો TMC એટલે કે તૃણમૂલ કોંગ્રેસે હિંસા પ્રભાવિત જહાંગીરપુરી વિસ્તારમાં ફેક્ટ ફાઇંડિંગ ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોની માનીયે તો, આ ટીમ શુક્રવારે જહાંગીરપુરી આવશે. તો જહાંગીરપુરી હિંસાનાં આરોપીઓની કુંડળી શોધશે અને દિલ્હી પોલીસ બંગાળ પહોંચી ચુકી છે. તો ચાલો જાણીએ જહાંગીરપુરી હિંસા કેસ સાથે જોડાયેલાં મહત્વનાં અપડેટ્સ
જહાંગીરપુરીમાં પોલીસનું ચાંપતું બંદોબસ્ત
Security deployed in the Jahangirpuri area of Delhi which witnessed violence on April 16 during a religious procession pic.twitter.com/3xgss8j2gu
જહાંગીરપુરી કેસમાં CPM નેતા વૃંદા કરાતે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી- જહાંગીરપુરી કેસમાં સીપીએમ નેતા બ્રિન્દા કરાતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમણે જહાંગીરપુરીમાં ચાલી રહેલી અતિક્રમણ વિરોધી અભિયાનની સત્તાવાળાઓને સુપ્રીમ કોર્ટના આદેશ વિશે જાણ કરી હતી. અધિકારીઓને કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટે અતિક્રમણ હટાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં અધિકારીઓ આદેશનું પાલન કરવા તૈયાર ન હતા. લગભગ દોઢ કલાક સુધી ડિમોલિશન ચાલ્યું હતું. જેથી કોર્ટે ફરી આદેશ આપવો પડ્યો હતો. હવે કોર્ટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.
AAP જહાંગીરપુરીમાં ગેરકાયદે રોહિંગ્યા અને બાંગ્લાદેશી અતિક્રમણને હટાવવાથી નારાજ છે: BJP ભારતીય જનતા પાર્ટીના દિલ્હી યુનિટે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે તે જહાંગીરપુરીમાં "ગેરકાયદેસર રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ" બાંધકામ તોડી પાડવાના અભિયાનને લઈને "અશાંત" થઈ રહી છે, જેમને તેણે મફત યોજનાઓનો લાભ આપ્યો છે. જ્યારે પાર્ટી શાસિત ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને જહાંગીરપુરીમાં મકાનો તોડવાની ઝુંબેશ શરૂ કરી ત્યારે AAP નેતાઓએ ભાજપની આકરી ટીકા કરી હતી.બાદમાં સુપ્રીમ કોર્ટે તેના પર સ્ટે મુક્યો હતો. દિલ્હી બીજેપીના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ આરોપ લગાવ્યો કે વિરોધ પક્ષો "તોફાનીઓ દ્વારા અતિક્રમણ હટાવવાને રાજકીય રંગ આપી રહ્યા છે".
" isDesktop="true" id="1201329" >
જહાંગીરપુરી હિંસાના આરોપીઓની કુંડળીની તપાસ કરવા દિલ્હી પોલીસ બંગાળમાં છે- સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતી શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાની તપાસના સંબંધમાં દિલ્હી પોલીસની એક ટીમે બુધવારે પૂર્વ મેદિનીપુર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને સ્થળોની મુલાકાત લીધી હતી. રાજ્ય પોલીસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હી પોલીસની ત્રણ સભ્યોની ટીમ સુતાહાટા અને મહિષદલ પોલીસ સ્ટેશન અને અન્ય સ્થળોએ ગઈ હતી. જ્યાંથી હિંસાના કથિત મુખ્ય કાવતરાખોર મોહમ્મદ અન્સાર જોડાયેલ છે. અંસારની રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય સુતાહતા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સાથેની ટીમ હિંસાના આરોપમાં ધરપકડ કરાયેલા અન્ય આરોપી ઈમામ શેખ ઉર્ફે સોનુના કંચનપુર ઘરે ગઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દિલ્હી પોલીસે તે જ વિસ્તારમાં રહેતા અંસારના કાકા સાથે પણ વાત કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર