Home /News /national-international /બોસને ખુશ કરવા માટે કરી ‘ISIS સ્ટાઈલ’માં હત્યા, દિલ્હીના આ મર્ડર કેસમાં કેનેડાથી પાકિસ્તાન સાથે આતંકવાદી કડી સામે આવી
બોસને ખુશ કરવા માટે કરી ‘ISIS સ્ટાઈલ’માં હત્યા, દિલ્હીના આ મર્ડર કેસમાં કેનેડાથી પાકિસ્તાન સાથે આતંકવાદી કડી સામે આવી
બોસને ખુશ કરવા ISIS સ્ટાઈલ હત્યા (Representational Photo: PTI File)
Delhi Murder Pakistan Terrorist Link: પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ તેમના ‘આકાઓ’ને બતાવવા માંગતા હતા કે તેઓ હત્યા કરવામાં સક્ષમ છે. તેથી તેઓએ 'ISIS સ્ટાઈલ'માં એક વ્યક્તિને મારવાનું નક્કી કર્યું. સોહેલ હાલમાં પાકિસ્તાનની ISI સાથે સંકળાયેલો છે, જ્યારે જગજીત કેનેડામાં બેઠેલા આતંકવાદી અર્શદીપ સિંહ ગિલ સાથે સંબંધ ધરાવે છે.
નવી દિલ્હી: દિલ્હીમાં એક વ્યક્તિની હત્યા કરીને તેના મૃતદેહને છ ટુકડા કરીને ફેંકી દેવાના મામલામાં કેનેડા અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ સાથેના કથિત સંબંધો સામે આવ્યા છે. હત્યાની ઘટનાને ISIS સ્ટાઈલમાં અંજામ આપવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ પાસેથી મળેલી માહિતીમાં તેમા અગાઉના ગુનાહિત રેકોર્ડ ધરાવતા બે લોકોએ એક વ્યક્તિનું શિરચ્છેદ કરવાની કબૂલાત કરી હતી અને તેમના ‘આકા’ને ખુશ કરવા માટે વીડિયો મોકલ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ તેમના ‘આકાઓ’ને બતાવવા માંગતા હતા કે તેઓ હત્યા કરવામાં સક્ષમ છે. તેથી તેઓએ 'ISIS સ્ટાઈલ'માં એક વ્યક્તિને મારવાનું નક્કી કર્યું. સોહેલ હાલમાં પાકિસ્તાનની ISI સાથે સંકળાયેલો છે, જ્યારે જગજીત કેનેડામાં બેઠેલા આતંકવાદી અર્શદીપ સિંહ ગિલ સાથે સંબંધ ધરાવે છે.
આ કેસમાં આતંકવાદના નિશાન શોધી કાઢ્યા
દિલ્હી પોલીસના એન્ટી ટેરર સ્પેશિયલ સેલે આ કેસમાં આતંકવાદના નિશાન શોધી કાઢ્યા છે, જ્યાં ગયા મહિને બહારની ઉત્તર દિલ્હીમાં ભાલસ્વ ડેરીમાં એક લાશના છ ટુકડા કરવામાં આવ્યા હતા. પીડિત ડ્રગ એડિક્ટ હોવાનું જણાય છે, પરંતુ તેની ઓળખ સ્પષ્ટ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને આરોપીઓએ હત્યાનો વીડિયો તેમના કથિત ‘આકાઓ’ને મોકલ્યો હતો. આતંકવાદી સંગઠન સાથે સંબંધ ધરાવતા આરોપીઓમાંથી એક સોહેલની જમ્મુ-કાશ્મીરમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને દિલ્હીની જેલમાં ખસેડવામાં આવ્યો હતો.
દિલ્હીમાં તે 56 વર્ષીય નૌશાદને મળ્યો, જે 1990ના દાયકાની શરૂઆતમાં હત્યાના આરોપમાં જેલમાં બંધ હતા. તે જેલમાં હતો જ્યાં સોહેલને કટ્ટરપંથી બનાવવામાં આવ્યો હતો. 2013માં સોહેલને છોડવામાં આવ્યા બાદ નૌશાદ પણ જેલમાંથી બહાર આવવામાં સફળ રહ્યો હતો, પરંતુ 2020માં ખંડણીના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે નૌશાદ જેલમાંથી છૂટ્યા બાદ બંને સંપર્કમાં હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે સોહેલ 2000માં લાલ કિલ્લા પર થયેલા હુમલાના આરોપી મોહમ્મદ આરિફને પણ જેલમાં મળ્યો હતો. સોહેલ હાલમાં પાકિસ્તાનની ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) સાથે જોડાયેલો છે. તપાસકર્તા અધિકારીઓએ એમ પણ કહ્યું કે, ‘નૌશાદ 2018માં કેનેડા સ્થિત અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શ દલ્લા સાથે સંકળાયેલા જગજીત સિંહને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ મળ્યા હતા.
ગેંગસ્ટર્સને સંડોવતા કેસની તપાસ દરમિયાન, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે નૌશાદની ધરપકડ કરી હતી. જેણે સોહેલ સાથે મળીને એક વ્યક્તિની હત્યા કરવાની કબૂલાત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, તેમને જાણવા મળ્યું હતું કે નૌશાદે એક નશાના વ્યસનીને લલચાવ્યો હતો, જેનું માથું છ ટુકડા કરીને ગયા મહિને ભાલ્સવા ડેરી વિસ્તારમાં તળાવમાં ફેંકી દીધું હતું.
‘તેઓએ મૃતકની હત્યા કરી અને ભાગોને ભાડાના આવાસમાં રાખ્યા અને એક પછી એક તળાવમાં ફેંકી દીધા. પોલીસે શરીરના પાંચ અંગો રિકવર કર્યા છે અને એક વધુ રિકવર કરવાનો બાકી છે.’
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર