Home /News /national-international /INS Vikrant Commissioning: પીએમ મોદીએ નૌસેનાને સમર્પિત કર્યુ દેશનું પહેલું સ્વદેશી જહાજ 'INS વિક્રાંત'

INS Vikrant Commissioning: પીએમ મોદીએ નૌસેનાને સમર્પિત કર્યુ દેશનું પહેલું સ્વદેશી જહાજ 'INS વિક્રાંત'

PM Modi: INS વિક્રાંતને 100થી વધુ MSME દ્વારા પૂરા પાડવામાં આવતા સ્વદેશી ઉપકરણો અને મશીનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.

PM Modi: INS વિક્રાંતને 100થી વધુ MSME દ્વારા પૂરા પાડવામાં આવતા સ્વદેશી ઉપકરણો અને મશીનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોચીના શિપયાર્ડમાં ઉપસ્થિત છે. તેઓ દેશના પ્રથમ શક્તિશાળી સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને ભારતીય નૌકાદળને સોંપ્યુ છે. આ એરક્રાફ્ટ કેરિયરના આગમનથી દેશની દરિયાઈ સરહદો સુરક્ષિત થઈ જશે. આ ભારતના સમુદ્રી ઇતિહાસમાં સૌથી મોટું જહાજ છે. મહત્વનું છે કે, ભારત પહેલા માત્ર પાંચ દેશોએ 40 હજાર ટનથી વધુ વજનનું એરક્રાફ્ટ કેરિયર બનાવ્યું છે. INS વિક્રાંતનું વજન 45 હજાર ટન છે. તે અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર છે.

INS વિક્રાંતને 100થી વધુ MSME દ્વારા પૂરા પાડવામાં આવતા સ્વદેશી ઉપકરણો અને મશીનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તે ભારતના દરિયાઈ ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે અને તેમાં અત્યાધુનિક ઓટોમેશન સુવિધાઓ છે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતુ કે, આજે કેરળનો દરેક ખૂણો ઓણમના પવિત્ર તહેવારની ખુશીથી છવાયો છે. ઉત્સાહના આ અવસર પર, કેરળને 4600 કરોડ રૂપિયાથી વધુના કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ ભેટમાં આપવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ કે,આપણે ભારતીયોએ આઝાદીના અમૃતના આગામી 25 વર્ષમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનો પ્રચંડ સંકલ્પ લીધો છે. વિકસિત ભારતના આ રોડમેપમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી ભૂમિકા છે. આપણા દેશમાં પ્રથમ મેટ્રો લગભગ 40 વર્ષ પહેલા ચાલી હતી. જેના 30 વર્ષમાં દેશે 250 કિ.મી. તેનાથી પણ ઓછું મેટ્રો નેટવર્ક તૈયાર કર્યુ હતું. છેલ્લા 8 વર્ષમાં દેશમાં 500 કિમીની મેટ્રો બની છે. 1000 કિમીથી વધુનો નવો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. એકથી વધુ મેટ્રો રૂટ પર કામ ચાલી રહ્યું છે.

ગુજરાતમાં ડ્રગ્સ મામલે હર્ષ સંઘવીનો આપને પલટવાર, વીડિયોમાં સાંભળો શું કહ્યું?

વિક્રાંત માટે 2500 કિમી લાંબી ઇલેક્ટ્રિકલ કેબલ બનાવી


INS વિક્રાંત આશરે રૂ. 20,000 કરોડના ખર્ચે બન્યું છે. જેને ગયા મહિને દરિયાઈ પરીક્ષણનો ચોથો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ નૌકાદળના નાયબ વડાએ કહ્યું કે, INS વિક્રાંત માટે દેશના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપકરણો બનાવવામાં આવ્યા છે. આ માટે અંબાલા, દમણ, કોલકાતા, જલંધર, કોટા, પુણે અને દિલ્હી જેવા શહેરોમાં પણ સાધનો બનાવવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે, INS વિક્રાંત માટે 2500 કિમી લાંબી ઇલેક્ટ્રિકલ કેબલ ભારતમાં બનાવવામાં આવી છે.


INS વિક્રાંતની વિશેષતાઓ


જો તમે INS વિક્રાંતની વિશેષતા પર નજર નાખો તો તે સંપૂર્ણપણે સ્વદેશી યુદ્ધ જહાજ છે. તેની લંબાઈ 262 મીટર અને પહોળાઈ 60 મીટર છે. તેના વજનની વાત કરીએ તો તે 45 હજાર ટન વજનનું જહાજ છે. INS વિક્રાંત એકસાથે 30 ફાઈટર પ્લેન ચલાવવા માટે સક્ષમ છે. આ જહાજને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની શિપયાર્ડ કંપની કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે.
First published:

Tags: દેશવિદેશ, પીએમ નરેન્દ્ર મોદી, વડાપ્રધાન મોદી

विज्ञापन