નવી દિલ્હી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે ગુરુવારે ભારત બાયોટેકની નેઝલ કોવિડ-19 વેક્સિન ઇન્કોવેક લોન્ચ કરી. ડિસેમ્બરમાં, ભારત બાયોટેકે જાહેરાત કરી હતી કે તે સરકારને પ્રતિ શૉટ રૂ. 325 અને ખાનગી રસીકરણ કેન્દ્રોને રૂ. 800 પ્રતિ શૉટમાં ઇન્ટ્રાનેઝલ વેક્સિન વેચશે.
COVID-19 ઇન્ટ્રાનેઝલ વેક્સિન” (BBV154) ત્રીજા તબક્કાના નિયંત્રિત ક્લિનિકલ ટ્રાયલમાં સુરક્ષિત, સહન કરી શકાય તેવી અને રોગપ્રતિકારક અસર દર્શાવવામાં આવી છે. વેક્સિન નિર્માતાએ કહ્યું કે BBV154 ખાસ કરીને નાકથી આપવા માટે તૈયાર કરવામાં આવી છે. કંપનીએ કહ્યું કે આ સાથે, નાકની વેક્સિન આપવાની પ્રણાલીને એવી રીતે ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે જે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે સસ્તી હોય.
કંપનીએ કહ્યું, "ઇન્ટ્રાનેઝલ વેક્સિન, BBI154 શ્વસન માર્ગના ઉપરના ભાગમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે, જે કોવિડ -19 ને સંક્રમિત કરવાની અને ફેલાવવાની સંભવિત ક્ષમતાને ઘટાડવામાં મદદ કરે છે." આ દિશામાં વધુ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, પ્રાથમિક ડોઝ (પ્રારંભિક બે ડોઝ) તરીકે BBV154ની અસર અને કોવિડ-19 (કોવિશિલ્ડ અથવા કોવેક્સિન) માટે અન્ય રસીના બે પ્રારંભિક ડોઝ પ્રાપ્ત કરનારાઓને ત્રીજા ડોઝ તરીકે BBV154 આપવાની અસરનું મૂલ્યાંકન કરવા માટે બે અલગ અલગ અને સાથે ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી.
DCGIએ અલગથી કંપનીને કોવેક્સિન સાથે BBV154 (ઇન્ટ્રાનાસલ) ની રોગપ્રતિકારક શક્તિ અને સલામતીની તુલના કરવા માટે ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવાની પણ મંજૂરી આપી. આ ટેસ્ટ નવ જગ્યાએ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર