દેશવાસીઓને મળશે વધુ એક સ્વદેશી વેક્સીન, સરકારે 30 કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર
રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1120 કેસ નોંધાયા છે. જેની સામે 3398 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 16 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9906 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.07 ટકા છે. અત્યાર સુધીમાં 1,79,14,812 વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે. આજે કુલ 2,75,139 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
ભારત સરકારે હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઇની કોવિડ વેક્સીનના 30 કરોડ ડોઝ બુક કરાવ્યા, ચાલી રહ્યા છે ત્રીજા ચરણના ટ્રાયલ
નવી દિલ્હી. ભારતમાં વેક્સીન (Corona Vaccine)ની વધતી જરૂરિયાત અને રસીકરણ (Vaccination)ના ઉદ્દેશ્યને પૂરી કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક અગત્યનું પગલું ભર્યું છે. ભારત સરકારે હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઇ (Biological E)ની કોવિડ વેક્સીનના 30 કરોડ ડોઝ બુક કરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વેક્સીન હાલ ક્લીનિકલ ટ્રાયલ પર છે. સ્વાસ્થ્ય મંત્રાલય તેના માટે કંપનીને 1500 કરોડ રૂપિયા એડવાન્સ પેમેન્ટ તરીકે આપશે. ભારત બાયોટેકની કોવેક્સીન બાદ આ ભારતમાં બનેલી બીજી વેક્સીન રહેશે.
મંત્રાલયનું કહેવું છે કે વેક્સીનનું નિર્માણ અને સ્ટોરેજ બાયોલોજિકલ-ઇના માધ્યમથી ઓગસ્ટથી ડિસેમ્બર 2021 સુધી કરી દેવામાં આવશે. માર્ચ-એપ્રિલ મહિનામાં જ્યારે ભારત કોવિડની બીજી લહેરના પ્રકોપ સામે સંઘર્ષ કરી રહ્યું હતું તે દરમિયાન રસીકરણની નીતિને લઈ કેન્દ્ર સરકારને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો, જેને ધ્યાને રાખી સરકારે આ પગલું ભરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા સરકારને આ જ કારણથી પોતાના વેક્સીન મૈત્રી કાર્યક્રમ હેઠળ વિદેશ મોકલવામાં આવી રહેલી વેક્સીનને રોકવી પડી હતી જેથી ભારતમાં વેક્સીનની અછતને દૂર કરી શકાય.
Ministry of Health and Family Welfare (MoHFW) finalises arrangements with Hyderabad-based vaccine manufacturer Biological-E to reserve 30 cr doses of vaccine, will be manufactured & stockpiled by Biological-E from Aug-Dec 2021 & MoHFW would make an advance payment of Rs 1500 cr pic.twitter.com/7as5DrXzLN
કેન્દ્ર સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બાયોલોજિકલ-ઇની વેક્સીન હાલમાં ત્રીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહી છે. આ પહેલા પહેલા અને બીજા ચરણમાં વેક્સીનના સારા પરિણામ જોવા મળ્યા છે. વેક્સીન આગામી થોડાક મહિનાઓમાં ઉપલબ્ધ થઈ જશે.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે વેક્સીનની આ નવી વ્યવસ્થા ડોમેસ્ટિક વેક્સીન નિર્માતાઓને પ્રોત્સાહન આપવા અને તેમને રિસર્ચ તથા ખર્ચમાં મદદ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે બાયોલોજિકલ-ઇની રસી માટે બાયોટેક્નોલોજી વિભાગને 100 કરોડની આર્થિક મદદ આપવામાં આવી છે. આ વિભાગ કંપનીની સાથે મળી અલગ-અલગ રિસર્ચમાં સામેલ છે. ભારત સરકારનું કહેવું છે કે સરકારનો ઉદ્દેશ્ય કોવિડ-19 વેક્સીનના 5-6 નિર્માતાઓને મદદ કરવાની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર