Home /News /national-international /કોરોનાથી તરફડીયા મારતા ચીનના લોકોને મદદ કરશે ભારત, દવા મોકલવાનો લીધો નિર્ણય

કોરોનાથી તરફડીયા મારતા ચીનના લોકોને મદદ કરશે ભારત, દવા મોકલવાનો લીધો નિર્ણય

કોરોનાના ભયંકર સ્વરુપમાં ચીનને મદદ કરશે ભારત

ભારતે ચીનમાં દવાઓ મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારતના દવા નિકાસ નિગમના અધ્યક્ષે ગુરુવારે કહ્યું કે, દુનિયાના સૌથી મોટા દવા નિર્માતાઓમાંથી એક ભારતે કોરોના સામે ઝઝૂમી રહેલા ચીનની મદદ કરવાનો નિર્ણય લીધો છે. ભારત, ચીનને તાવની દવા આપવા માટે તૈયાર છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ચીનમાં કોરોનાની અત્યાર સુધીની સૌથી ઘાતક લહેર આવી છે. દરરોજ લાખોની સંખ્યામાં નવા દર્દી સામે આવી રહ્યા છે અને હોસ્પિટલોમાં લોકોને બેડ નથી મળતા, તો વળી દવાઓ પણ ભારે મુશ્કેલીથી મળી રહી છે. દવા વગર લોકો તરફડીયા મારી રહ્યા છે. પોતાના પાડોશી દેશને મુસીબતમાં જોઈને ભારત ફરી એક વાર સામે આવ્યું છે.

આ પણ વાંચો: નાકમાં બે ટીપા અને કોરોનાનો ખાત્મો: ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મળી ગઈ મંજૂરી

ભારતે ચીનમાં દવાઓ મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારતના દવા નિકાસ નિગમના અધ્યક્ષે ગુરુવારે કહ્યું કે, દુનિયાના સૌથી મોટા દવા નિર્માતાઓમાંથી એક ભારતે કોરોના સામે ઝઝૂમી રહેલા ચીનની મદદ કરવાનો નિર્ણય લીધો છે. ભારત, ચીનને તાવની દવા આપવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: ઈન્ટરનેશનલ મુસાફર માટે કોરોના એડવાઈઝરી જાહેર, થર્મલ સ્કેનિંગ અને રેન્ડમ ટેસ્ટિંગ થશે

ભારતીય દવા કંપનીઓને મળી રહ્યા છે ઓર્ડર


ચીનમાં કોરોનાની લહેર આવવાથી ત્યાં દવાઓની ભારે તંગી સર્જાઈ છે. ડિમાન્ડ પુરી કરવા માટે દવા કંપનીમાં ઓવર ટાઈમ કરાવામાં આવી રહ્યો છે. ચીની સરકારે તાવ, સાંધાનો દુખાવો, માથાનો દુખાવાની દવા ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. આ તમામની વચ્ચે ભારત પણ ચીનને તાવની દવા મોકલશે. ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉંસિલ ઓફ ઈંડિયાના ચેરમેન સાહિલ મુંઝાલે રોયટર્સને જણાવ્યું હતું કે, ઈબુપ્રોફેન અને પેરાસિટામોલ દવા બનાવનારી કંપનીઓ પાસે ચીનમાંથી ઓર્ડર આવી રહ્યા છે.
First published:

Tags: China India, Corona virus Update, ડ્રગ્સ