નવી દિલ્હીઃ પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં LAC પર ભાત-ચીનના સૈનિકોની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ (India China Faceoff)ને લઈને કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી ચીફ વીકે સિંહ (VK Singh)એ મોટો દાવો કર્યો છે. વીકે સિંહ મુજબ, ભારત અને ચીનની વચ્ચે હિંસક ઘર્ષણનું કારણ ચીની તંબૂમાં લાગેલી રહસ્યમય આગ હતું. પૂર્વ આર્મી ચીફનું કહેવું છે કે અચાનક લાગેલી આગથી ભારતીય સૈનિક ભડક્યા હતા. એ કહેવું મુશ્કેલ છે કે ચીની સૈનિકોના તંબૂમાં શું રાખવામાં આવ્યું હતું જેના કારણે આ આગ લાગી.
ન્યૂઝ ચેનલ ABP સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કહ્યું કે ચીની સેનાના તંબૂમાં આગ લાગવાના કારણે ઘર્ષણ થઈ ગયું. આ ઘર્ષણ દરમિયાન આપણા લોકો ચીની સેનાની ઉપર હાવી થઈ ગયા. ચીને પોતાન વધુ લોકો બોલાવ્યા. અમારા લોકોએ પણ પોતાના વધુ જવાન બોલાવી દીધા. ચીનના લોકો ઝડપથી આવી ગયા, પછી આપણા લોકો આવ્યા. અંધારામાં 500થી 600 લોકોની વચ્ચે ઘર્ષણ થયું.
પૂર્વ આર્મી ચીફનો દાવો છે કે પહેલા આપણા ત્રણ લોકો હતાહત થયા હતા. પછી આપણા અને ચીની સૈનિકો નદીમાં પડી ગયા હતા. ઈજા અને નદીમાં પડવાના કારણે આપણા વધુ 17 જવાન શહીદ થયા. 70 જેટલા ઘાયલ થયા હતા.