India@75: જમશેદજી ટાટાનો જન્મ વર્ષ 1839માં પારસી પૂજારી પરિવારમાં થયો હતો. તેમના મૂળ ઈરાનથી લઈને દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ હતા. નૌસેરવાનએ સૌથી પહેલા પરિવારની પુરોહિત પરંપરાને તોડી હતી અને વેપારી બની ગયા હતા. તેઓ પરિવારની સાથે મુંબઈ જતા રહ્યા અને એક નિકાસ ફર્મની સ્થાપના કરી
નવી દિલ્હી: દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ સમયે દેશમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર જમશેદજી ટાટાને યાદ કરવા જ રહ્યા. ભારતમાં આધુનિક ઉદ્યોગની શરૂઆત કરવામાં સૌથી પહેલું નામ જમશેદજી નૌસેરવાન ટાટાનું આવે છે. ભારતના સૌથી મોટા વેપારિક સામ્રાજ્યના સંસ્થાપક તરીકે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂએ યોજના આયોગને જણાવ્યું હતું કે, જમશેદજી પરોપકારી વ્યક્તિ પણ હતા.
જમશેદજી ટાટા કોણ હતા?
જમશેદજી ટાટાનો જન્મ વર્ષ 1839માં પારસી પૂજારી પરિવારમાં થયો હતો. તેમના મૂળ ઈરાનથી લઈને દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ હતા. નૌસેરવાનએ સૌથી પહેલા પરિવારની પુરોહિત પરંપરાને તોડી હતી અને વેપારી બની ગયા હતા. તેઓ પરિવારની સાથે મુંબઈ જતા રહ્યા અને એક નિકાસ ફર્મની સ્થાપના કરી. પ્રગતિશીલ પિતાના વિચારને પ્રોત્સાહન આપી જમશેદજી ટાટાએ ઉદ્યોગ સ્થાપિત કરવાની શરૂઆત કરી. જમશેદજી પશ્ચિમી શિક્ષા પ્રાપ્ત કરનાર પારસી પરિવારમાંથી એક હતા. તેમણે એલફિંસ્ટન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને ત્યારબાદ તેઓ તેમના પિતાના નિકાસ બિઝનેસમાં શામેલ થઈ ગયા. તેમણે જાપાન, ચીન અને યૂરોપ સુધી બિઝનેસને વિસ્તારિત કર્યો. જમશેદજીના પિતાએ જમશેદજીને તેમના સમયના સૌથી લાભદાય બિઝનેસ અફીમ વેપાર વિશે જાણવા માટે ચીન મોકલ્યા હતા.
29 વર્ષની ઉંમરે શરૂઆત કરી
જમશેદજી નૌસેરવાનજીએ 29 વર્ષની ઉંમરે પોતાનું ફર્મ શરૂ કર્યું હતું. તેમણે દેવાળિયું થઈ ગયેલ તેલની ફેક્ટરી ખરીદી અને તેને કપાસ ફેક્ટરીમાં પરિવર્તિત કરી. ત્યારબાદ આ બિઝનેસ મુંબઈનો સૌથી તેજીથી વધતું ક્ષેત્ર બની ગયું. આ ફેક્ટરીનું નામ એલેક્ઝેંડ્રા ફેક્ટરી હતું. ત્યારબાદ જમશેદજીએ અનેક ફેક્ટરીની સ્થાપના કરી. વર્ષ 1903માં જમશેદજીએ મુંબઈમાં ભારતની સૌથી મોટી હોટલ તાજમહેલ હોટેલ બનાવવાનું સપનું પૂરું કર્યું.
વિજળીથી ચાલતી આ સૌથી પહેલી ભારતીય હોટલ હતી. 100 વર્ષ બાદ પણ આ હોટલ ભારતની સર્વશ્રેષ્ઠ હોટલમાંથી એક છે. જમશેદજી વેપારની સાથે સાથે સ્વદેશી આંદોલનના પ્રબળ અનુયાયી હતા. તેઓ આંદોલનમાં રાજનૈતિક રૂપે સક્રિય નહોતા, તેમ છતાં તેમણે સોલાર DOF ઉદ્યોગમાં પ્રેક્ટીસ કરી. કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્વદેશી આંદોલન શરૂ કરતા પહેલા જમશેદજીએ વર્ષ 1886ની શરૂઆતમાં પોતાની કપાસ મિલનું નામ સ્વદેશી મિલ રાખ્યું હતું.
જમશેદપુરને ભારતનું સૌથી પહેલું ઔદ્યોગિક શહેર કહેવામાં આવે છે. જમશેદજી ટાટાએ સ્થાપિત કરેલ શહેરને તેમના પુત્ર દોરાબજી ટાટા દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું. આ શહેર ઝારખંડમાં આવેલું છે. આ એક એવું શહેર છે, જ્યાં જમશેદજીએ ભારતની પહેલી સ્ટીલ મિલની સ્થાપના કરી હતી. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની (ટિસ્કો), બ્રિટીશ સામ્રાજ્યની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક મિલ બની ગઈ છે.
જે ભારતની ઔદ્યોગિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ બાબત સાબિત થઈ. જે ટાટા સ્ટીલ તરીકે ઓળખાવા લાગી. જે હજુ પણ દુનિયાના સૌથી મોટા સ્ટીલ નિર્માતામાંથી એક છે. આજે પણ જમશેદપુર ટાટાનગર છે. ટાટા સ્ટીલ પાસે 8 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે લગભગ 8 લાખ કર્મચારીઓ સાથે 100 દેશોમાં વિસ્તારિત થયેલી છે. સાર્વભૌમિક રૂપે ભારતની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય અને સર્વશ્રેષ્ઠ ભારતીય બ્રાન્ડ છે. જે આરોગ્ય, શૈક્ષણિક તથા અન્ય ક્ષેત્રોમાં પણ સૌથી વધુ પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે.
જમશેદજી ટાટા રાજનીતિમાં સક્રિય નહોતા અને ગાંધીજીના સાથી પણ નહોતા. બિરલા અને બજાજ ગાંધીજીના સાથી હતા. જમશેદજીના પુત્ર રતનજી ટાટા દક્ષિણ આફ્રિકામાં રાજનૈતિક અભિયાન માટે ગાંધીજીના સૌથી મોટા નાણાકીય સમર્થક હતા. ગાંધીજીએ જમશેદજીને ભારતના નિ:સ્વાર્થ સેવક ગણાવ્યા હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર