આતંકવાદીઓને ફંડ પૂરૂ પાડવાના બાબતે ઉત્તર પ્રદેશ ATSએ લખનઉ સહિત રાજ્યનાં અન્ય જિલ્લામાં તપાસ હાથ ધરી હતી. જેમાં આતંકવાદીઓને ફંડ પૂરૂ પાડવાનો મામલાનો પર્દાફાસ થયો છે. માહિતી મળ્યા બાદ ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા લખનઉ, ગોરખપુર અને પ્રતાપગઢની સાથે-સાથે મધ્યપ્રદેશના રીવામાંથી તાત્કાલિત કાર્યવાહી કરીને 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ વાત તે છે કે, ધરપકડ થયેલા કેટલાક આરોપી નાના-મોટા વેપારી છે. જેમની પાસેથી મોટા પ્રમાણમાં રોકડ કેશ, એટીએમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. ટેરર ફન્ડિંગની આ સમગ્ર કામગીરિને પાકિસ્તાનમાંથી કંટ્રોલ કરવામાં આવી રહી હતી. આ ફંડ નેપાળ, પાકિસ્તાન અને કતારના માર્ગે ભારત મોકલવામાં આવતું હતું. આ લોકો કેટલાક ટેરર ગ્રૂપ માટે રૂપિયા એકત્ર કરી રહ્યા હતા. એટીએસે પોતાના અહેવાલમાં તે પણ ખુલાસો કર્યો છે કે, ઘણા લોકો આ કેસને લઈને આઈએસઆઈ સાથે પણ જોડાયેલા હોઈ શકે છે. આ લોકોના બેન્ક ખાતામાંથી રૂ. 10 કરોડની લેણદેણ થયેલ છે. આ આખું નેટવર્ક પાકિસ્તાનમાં બેસીને ચલાવવામાં આવી રહ્યો હતો.
Rs 10 cr worth financial transaction was done in those bank accounts. Money flow into those accounts was from Nepal, Pakistan and Qatar, and the flow of money was controlled by persons in Pakistan: Asim Arun, IG ATS in Lucknow pic.twitter.com/bQ8DkFuSpp
ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા ટેરર ફંડિંગના મામલે 10 લોકોની ધરપકડની જાણકારી આઈજી એટીએસના અસીમ અરૂણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આ કેસ ગેરકાયદેસર રૂપિયાની લેણદેણના રેકેટનો છે. હાલમાં એટીએસ તે જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા. તેમણે જણાવ્યુ કે, એટીએસ બાતમી મળી હતી કે લશ્કર-એ-તોયબાના આતંકવાદી ભારતમાં ટેરર ફંડિંગનું નેટવર્ક ચલાવી રહ્યા છે. જે બાદ 25 માર્ચે ગોરખપુર, લખનઉ, પ્રતાપગઢ અને રીવા આ ચાર જગ્યાઓથી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર