ભાજપે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે તેની 82 ઉમેદવારોની બીજી યાદી રજૂ કરી દીધી છે. આ યાદી પુરવાર કરે છે કે પક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદુરપ્પાની પાર્ટીમાં હજુ પણ ચાલે છે. કારણ કે તે તેના મોટાભાગના વફાદારોને ટિકિટ આપવા માટે સફળ છે.
ભાજપ શાસન દરમિયાન જેલ ગયેલા 4 ભાજપા વિધાનસભ્યને પણ પાર્ટીમાં ટિકિટ આપવામાં આવી છે. એવુ પણ પ્રતીત થાય છે ભગવા દળ અન્ય બાબતને બદલે બસ જીત મેળવવા માટે ધ્યાન આપે. છેલ્લા અઠવાડિયા સુધી બેકફૂટ પર રહેલા યેદુયુરપ્પા ઉમેદવારોની પસંદગીની બાબતમાં પાર્ટીની અંદર ફરીથી મજબૂત બને.
તેમના વફાદાર, પૂર્વ મંત્રી કટ્ટા સુબ્રહ્મણ્ય નાયડુ, કૃષ્ણા શેટ્ટી અને હરેતલુ હલપ્પા જેલમાં હતા, તેમને પણ ટિકિટ મળી છે. માઇનિંગ મફિયા જી. સોમશેખર રેડ્ડીને પણ બેલ્લારી સિટી વિધાનસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. સોમશેખરે રેડ્ડીને જામીન આપવા માટે જજને કથિત રૂપથી રિશ્વત આપવાના આરોપમાં તેમના નાના ભાઈને જેલમાં જવુ પડ્યુ હતુ.
પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ પણ બેલ્લારીના રેડ્ડી બંધુઓને જાહેરમાં કહ્યું હતું કે તેમને બેલ્લારી બંધુઓ સાથે કોઇ મતલબ નથી, છતાં બાદમાં સોમશેખર રેડ્ડી અને તેમના નજીકના પારિવારિક મિત્ર સના ફકિરપ્પાને બીજેપીની યાદીમાં સ્થાન મળી ગયુ.
આ ઉપરાંત પક્ષ પરિવર્તન ત્રણ નેતાઓ કુમાર બંગારપ્પા, એન એલ નરેન્દ્ર બાબુ અને સંદેશા સ્વામી પણ યાદીમાં સામેલ છે. પરંતુ જે લોકોએ ખુલ્લેઆમ યેદુયુરપ્પાનો વિરોધ કર્યો હતો, તે લોકોને આ યાદીમાં સ્થાન મળ્યું નથી.
બીજી યાદીમાં આશરે 32 ઉમેદવારો લીંગાયત સમુદાયના છે, જ્યા વોક્કલિગા સમુદાયમાંથી 10, જ્યારે અન્ય વંચિત વર્ગ (ઓબીસી) સાથે જોડાયેલા 20 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. અહીં ધ્યાન આપવા જેવી એક વાત છે કે બીજેપીની પહેલી અને બીજી યાદીમાં કોઈ મુસ્લિમ કે ખ્રિસ્તી ઉમેદવાર નથી. ઇસાઈ અથવા મુસ્લિમોને ટિકિટ ન આપવાના કારણ એવું લાગે છે છે કે પાર્ટી ઉત્તર પ્રદેશની જ વ્યૂહરચના ફરીથી બનાવી રહી છે.
આ બાબતને લઇને યુપીમાં પણ લોકોએ પાર્ટીની ટીકા કરી હતી, પરંતુ પાર્ટીએ કહ્યું હતું કે લોકોને માત્ર વિજયની જરૂર છે. ગૃહ મંત્રી રાજનાથ સિંહ કહ્યુ કે હું બધા મુસ્લિમ ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે તેઓ સાથે જોડાય.
આ ચૂંટણીમાં અનેક દાગી ઉમેદવારોને ઉતર્યા છે. જ્યારે સત્તાધિકારીઓએ 218 ઉમેદવારોની લિસ્ટ રજૂ કરી અને સંપૂર્ણ ભાર એ વાત પર મૂક્યો કે કેવી રીતે ચૂંટણી જીતાય છે. તો બીજેપીએ પણ એક વખત ફરી બાહુબલીઓને ટિકિટ આપવામાં કોઈ ઝુઝક રાખ્યો નહીં
પક્ષે બીજી યાદીમાં 22 નવા ચહેરાઓને પણ તક આપી છે. કોંગ્રેસની તુલનામાં બીજેપીની યાદીમાં ભાજપ પાસે વધુ નવા ચહેરાઓ છે.
યેદિયુરૂપ્પાના વફાદાર મુરુગેશ નિરાની, સિદ્દુ સાવદી, કલકાપ્પા બંડી, મુદાલુ વીરુપક્ષપ્પા, આરાગા જ્ઞાનેદ્ર, બી સુકુમાર શેટ્ટી, પ્રો મલ્લિકાર્જૂન અને નિરંદન કુમારને પણ ટિકિટ મળી છે. કઠોર વિપક્ષ થતા યેદુરપ્પા, તેમના વફાદાર અને ભૂતપૂર્વ મંત્રી હરતાલુ, હલપ્પાને મેદાનમાં ઉતરવા કામયાબ રહ્યા. હરતાલુ હલપ્પાને ગયા વર્ષે બળાત્કારના આરોપમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
પ્રથમ યાદીમાં 72 નામ આપવામાં આવશે. ત્યારબાદ BJP માં આંતરિક ટકરાવ વધી જશે. આ રીતે યેદુરપ્પાએ હાઈકમાનને આ બાબતને લઇને મનાવી લીધુ કે તેમના ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવે અને તેમણે તેમના ઉમેદવારો માટે ટિકિટ પણ મેળવી લીધી.
બીજેપી દ્વારા ચાર દાગી ચહેરાને મેદાનમાં ઉતર્યા પછી કોંગ્રેસના એક ટોચના નેતાએ જણાવ્યું હતું કે પાર્ટી શાતિનગરથી ધારાસભ્ય એનએ હેરિસને ફરીથી મેદાનમાં ઉતારવા વિચારી રહી છે. હેરીસની ઉમેદવારી પર તેમના પુત્ર મોહમ્મદ નલપતે બેંગ્લારુના એક પબમાં ગુંડાગીરીને અટકાવી હતી.
અન્ય એક કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, હેરિસે કંઇ ખોટુ કર્યુ નથી. તેમનો દીકરો દોષી છે, અમે તેને જેલમાં મોકલી દીધો છે. જો બીજેપી કટ્ટા સુબ્રામણ્ય નાયડુ અને કૃષ્ણૈયા શેટ્ટી જેવા લોકોને મેદાનમાં ઉતરી શકે છે, તો અમે હેરિસને ફરીથી નામાંકિત કેમ ન કરી શકીએ?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર