Home /News /national-international /વાયુસેનાએ કહ્યું- ભારત પાસે F-16 તોડી પાડ્યાના ઠોસ પૂરાવા છે

વાયુસેનાએ કહ્યું- ભારત પાસે F-16 તોડી પાડ્યાના ઠોસ પૂરાવા છે

વાયુસેનાએ કહ્યું- ભારત પાસે F-16 તોડી પાડ્યાના ઠોસ પૂરાવા છે

ભારત દ્વારા તોડી પાડવામાં આવેલા પાકિસ્તાનના લડાકુ વિમાન F-16નો વિવાદ ઘેરો બની રહ્યો છે

ન્યૂઝ18 ગુજરાતી: ભારત દ્વારા તોડી પાડવામાં આવેલા પાકિસ્તાનના લડાકુ વિમાન F-16નો વિવાદ ઘેરો બની રહ્યો છે. ભારતીય વાયુસેનાએ કહ્યું કે, તેમની પાસે ચોક્કસ પુરાવા છે કે પાકિસ્તાને ભારત સામે એફ-16નો ઉપયોગ કર્યો હતો અને કેપ્ટન અભિનંદને મિગ-21 બાઇસન દ્વારા હવામાં તેને તોડી પાડ્યું હતું.

સોમવારે ઇન્ડિયન એરફોર્સે કહ્યું કે, 27 ફેબ્રુઆરી 2019ના રોજ બે લડાકુ વિમાન તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં એક ભારતનું મિગ-21 બાઇસન અને બીજું પાકિસ્તાનનું એફ-16 હતું.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, એર વાઇસ માર્શલ આર.જી.કે કપૂરે કહ્યું કે, અમારી પાસે બીજા પણ પુરાવા છે કે પાકિસ્તાનનું એફ-16 તોડી પડાયું હતું. જોકે, સુરક્ષા અને ગોપનીયતાના લીધે આના વિશે વધુ માહિતી આપી શકાતી નથી.

 ગયા અઠવાડિયે અમેરિકી મેગેઝીન ફોરન પોલિસીમાં છપાયેલા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, અમેરિકાની ગણતરીમાં તમામ F16 યથાવત હોવાનું જાણવા મળ્યું છે.

 મેગેઝીને અમેરિકી રક્ષા અધિકારીઓના હવાલાથી દાવો કર્યો હતો કે, 27 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઇક બાદ ભારતનો પાકિસ્તાની એફ-16ને તોડી પાડવાનો દાવો ખોટો હોઇ શકે છે.

આ પણ વાંચો: લંડનની કોર્ટે વિજય માલ્યાની અરજી રદ કરી, પ્રત્યર્પણના પ્રયાસ થશે તેજ

ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીએ ઇન્ડિયન આર્મીની ત્રણેય પાંખે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી પાકિસ્તાની એફ-16 તોડી પાડવાના પુરાવા રજૂ કર્યા હતા. સેનાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની ફાઇટર પ્લેન એફ-16એ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી હતી. સેનાએ મીડિયાને એફ-16માં લાગનારી મિસાઇલના ટુકડા બતાવ્યા હતા.
First published:

Tags: Claims, IAF, પાકિસ્તાન