Home /News /national-international /Mission Paani: દેશના જળ સંસાધનોનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય?

Mission Paani: દેશના જળ સંસાધનોનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય?

ભવિષ્યના જળ સંકટથી બચવા માટે વરસાદી પાણીના સંગ્રહ અને નદીના પાણીનું પ્રબંધન કરવું કેમ જરૂરી બન્યું?

ભવિષ્યના જળ સંકટથી બચવા માટે વરસાદી પાણીના સંગ્રહ અને નદીના પાણીનું પ્રબંધન કરવું કેમ જરૂરી બન્યું?

ભારતમાં તાજેતરનું જળ સંકટ એ તથ્યને સ્વીકાર કરે છે કે દેશમાં સ્વચ્છ જળના સમૃદ્ધ અને વિવિધ સંસાધન છે, જે પરંપરાગત રીતે સાંપ્રદાયિક સ્વચ્છતા અને સ્વચ્છતા પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે. દુનિયામાં 4% સ્વચ્છ પાણીના ભંડારની સાથે, ભારતમાં પૂરુતું સ્વચ્છ પાણી છે, જેની સંભાળ લેવી જરૂરી છે. તેમાંથી 10,360 નદીઓ છે જે સમગ્ર દેશના વિવિધ હિસ્સામાં વહે છે, જે 1,869 ક્યૂબિક કિલોમીટરની આસપાસનો પ્રવાહ બનાવે છે. સંરચનાત્મક અપર્યાપ્તાઓને કારણે તમામને એક્સેસ નથી કરી શકાતી. પરંતુ તે આપણા જળ સંસાધનોના સંકટને દૂર કરવાની ક્ષમતાને દર્શાવે છે, જો તેને યોગ્ય રીતે પ્રબંધિત કરવામાં આવે.

નદીઓ લાવશે સમૃદ્ધિ

ભારતમાં વહેતી અસંખ્ય નદીઓ દર્શાવે છે કે આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ નથી કર્યો અને તેમાં વિપુલ શક્યતાઓ પણ જોવા મળી રહી છે. ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર જેવી અનેક નદીઓ સ્થાનિક સમુદાયોમાં પૂજનીય છે, પરંતુ અત્યાર સુધી તેના બચાવ માટે કોઈ પ્રયાસ નથી કરવામાં આવ્યા. માનવ દ્વારા ઠલવાતો કચરો અને ઔદ્યોગિક વિકાસથી નદીઓ પર આધારિત લોકોના જીવન પર પ્રતિકૂળ પ્રભાવ પડ્યો છે. આવા લોકો નદીઓ પર પોતાની આજીવિકા માટે નિર્ભર છે. આ નદીઓના સારા પ્રબંધન અને સાચવણી, તેનાથી વિપરીત, તેના આસપાસના રહેવાસી લોકોના જીવનમાં સુધાર લાવશે.

અંડરગ્રાઉન્ડથી મેઇનસ્ટ્રીમ સુધી

અન્ય એક ક્ષેત્ર જમીનની નીચે વહેતા જળનું પ્રબંધન છે જેના દ્વારા લોકોના જીવનધોરણમાં સુધાર આવી શકે છે. ભારતમાં અંડરગ્રાઉન્ડ પાણીના સ્તરને નીચે ન જવા દેવું તે એક અગત્યનું કામ છે. દેશમાં ભૂજળનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, ગ્રામ્ય વિસ્તારો મોટાભાગે ભૂજળ પર આધારિત હોય છે અને તેના કારણે તેમને પાણીની અછતમાંથી રાહત પણ મળે છે. પરંતુ ભૂજળના બેફામ ઉપયોગથી તેનના જળસ્તર ખૂબ જ ઝડપથી નીચે જઈ રહ્યું છે જેના કારણે ગુણવત્તામાં પણ વિપરિત અસર થાય છે. તેના કારણે લોકોના જીવન પર જોખમ ઊભું થાય છે આ ઉપરાંત જમીનની ફળદ્રુપતા અને ખેતીવાડીને નુકસાન થાય છે. તેના કારણે જ ભૂજળ પ્રબંધનની તાતી જરૂર છે અને ચોમાસામાં વરસાદી પાણીના ઉપયોગ પર ભાર મૂકાવો જોઈએ.

મોસમ આધારિત કુદરતી બક્ષીસનો મહત્તમ ઉપયોગ કરવો

જળવાયુ પ્રદૂષણના કારણે કુદરતી પેટર્નમાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. ભારતમાં દર વર્ષે સરેરાશ અને સારો વરસાદ પડી રહ્યો છે. ભારતમાં ગણતરી કરીએ તો અંદાજિત 4000 કયૂબિક કિલોમીટરનું ફ્રેશ વોટરની ઉપલબ્ધિ થાય છે. વરસાદી પાણી સંગ્રહને લઈ લાંબા ગાળાના અભિયાન અને યોજનાઓને હાથ ધર્યા પછી પણ અનેકગણું વરસાદી પાણી વહી જાય છે . દેશમાં જળ સુરક્ષા ઊભી કરવા માટે સસ્તામાં ઊભી થતી જળ સંચયની પદ્ધતિઓ ખૂબ ઉપયોગી પુરવાર થઈ શકે છે. આ કુદરતી ભેટનો આપણે વ્યય ન કરવો જોઈએ.

ભારતમાં જળ સંકટ ઘણું વ્યાપક થતું જઈ રહ્યું છે. જો આપણે ઘોર દુષ્કાળ કે જળ સંકટના વિકરાળ સ્વરૂપથી બચવું હશે તો દરેકએ વ્યક્તિગત ધોરણે જળ સંરક્ષણ અને જળ પ્રબંધનમાં યોગદાન આપવું પડશે. જળ સંચયને લગતા પોતાના આઇડિયાને અમલમાં મૂકવાનો સમય પાકી ગયો છે.

મિશન પાની, એ CNN News18 અને Harpic India દ્વારા શરૂ કરવામાં આવેલું એક અભિય ન છે જેના થકી ભારતના બહુમૂલ્ય જળ સ્ત્રોતોને વધુ સુરક્ષિત બનાવીને જીવનને વધુ સારું બનાવી શકાય. તમે પણ જળ પ્રતિજ્ઞા લઈને આ અભિયાનમાં પોતાનું યોગદાન આપી શકો છો. વધુ વિગતો માટે વેબસાઇટ www.news18.com/mission-paani ની મુલાકાત લઈ શકો છો.
First published:

Tags: Harpic India, Mission Paani, Water conservation

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો