નવી દિલ્હી: ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ભાજપ શાસિત આ પહાડી રાજ્યમાં 12 નવેમ્બરે વોટિંગ થશે અને 8 ડિસેમ્બર મતગણતરી થશે. આ તમામની વચ્ચે એબીપી ન્યૂઝ અને સી વોટરનો સર્વે સામે આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 37 વર્ષોમાં એક વાર ભાજપ અને એક વાર કોંગ્રેસ સરકારનું ચલણ રહ્યું છે. અહીં જનતા દર પાંચ વર્ષમાં સરકાર બદલી નાખે છે.
જયરામ ઠાકુરના કામથી કેટલા લોકો ખુશ ?
ઓપિનિયન પોલ અનુસાર, મુખ્યમંત્રી જયરામ ઠાકુરના કામથી મોટા ભાગના લોકો ખુશ છે. સીએમનું કામ કેવું છે, તેના જવાબમાં 38 ટકા લોકોએ સારુ કહ્યું હતું. 29 ટકા લોકોએ મુખ્યમંત્રીના કામને સરેરાશ ગણાવ્યું હતું. તો 33 ટકાએ ખરાબ ગણાવ્યું હતું. એટલે 71 ટકા લોકો મુખ્યમંત્રીના કામથી સંતુષ્ટ છે.
સર્વેમાં લોકોને જ્યારે સીએમ પદની પ્રથમ પસંદને લઈને સવાલ કરવામાં આવ્યો તો, 32 ટકા લોકોએ જયરામ ઠાકુરને સૌથી સારા ગણાવ્યા હતા. 26 ટકા લોકો અનુરાગ ઠાકુરને સીએમ તરીકે જોવા માગે છે. કોંગ્રેસ નેતા પ્રતિભા સિંહને 18 ટકા લોકો પોતાની પસંદ માને છે. તો 24 ટકા લોક અન્ય કોઈ ચહેરાના મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે.
સૌથી મોટો મુદ્દો શું છે
ઓપિનિયન પોલીસ અનુસાર, 49 ટકા લોકોએ બેરોજગારીને સૌથી મોટો મુદ્દો બતાવ્યો છે. 15 ટકા વિજળી, રસ્તા, પાણી સૌથી મોટો મુદ્દા માને છે. 7 ટકાએ ભ્રષ્ટાચાર અને 29 ટકાએ અન્ય કારણો બતાવ્યા છે.
કઈ પાર્ટીને કેટલા ટકા વોટ
સી વોટરના ઓપિનિયન પોલ મુજબ 37 વર્ષમાં હિમાચલમાં સરકાર બદલવાની પ્રથા આ વખતે બદલાઈ શકે છે. સર્વે મુજબ ભાજપને 46 ટકા વોટ શેર મળી શકે છે. કોંગ્રેસને 35.2 ટકા વોટ મળી શકે છે. તો વળી આમ આદમી પાર્ટીને 6.3 ટકા વોટ મળી શકે છે. અન્યને 12.5 ટકા વોટ મળી શકે છે.
ઓપિનિયન પોલ મુજબ હિમાચલમાં ભાજપને 38-46 સીટો મળી શકે છે. કોંગ્રેસને 20-28 સીટો મળવાનું અનુમાન છે. આમ આદમી પાર્ટીને 0-1 સીટથી સંતોષ માનવો પડી શકે છે. જ્યારે અન્યના ખાતામા 0-3 સીટો આવી શકે છે.
2017ની ચૂંટણીનું શું પરિણામ હતું
ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 44 સીટો પર જીત મળી હતી. કોંગ્રેસને 21 સીટો પર જીત મળી હતી. આમ આદમી પાર્ટીના ખાતામાં એક પણ સીટ આવી નહોતી, જ્યારે અન્યના ખાતામાં 3 સીટો ગઈ હતી.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર