નવી દિલ્હી : હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર (Haryana CM Manohar Lal Khattar)અને ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala)કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરવા માટે ગૃહ મંત્રાલય પહોંચ્યા છે. આ બેઠકમાં કૃષિ કાનૂનોને લઈને ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શનને લઈને વાતચીત થશે. બેઠકમાં ભાજપા અધ્યક્ષ ઓપી ધનખડ પણ ઉપસ્થિત રહેશે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં ખેડૂત આંદોલનને (Kisan Aandolan) લઈને રાજનીતિક હલચલ તેજ બની ગઈ છે. કોંગ્રેસ સરકાર સતત વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની માંગણી કરી રહી છે.
આ પહેલા જનનાયક જનતા પાર્ટી (જજપા)ના ધારાસભ્યોના એક જૂથે મંગળવારે આ બેઠક પહેલા કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાનૂનોને પાછા લેવા જોઈએ. નહીંતર હરિયાણામાં સત્તામાં રહેલા ભાજપા-જજપા ગઠબંધને તેની ભારે કિંમત ચુકાવવી પડશે. જજપા ધારાસભ્ય જોગી રામ સિહાગે કહ્યું કે કેન્દ્રએ આ કાનૂનોને પાછા લેવા જોઈએ કારણ કે હરિયાણા, પંજાબ અને દેશના ખેડૂતો આ કાનૂનોના વિરોધમાં છે. તેમણે કહ્યું કે અમે દુષ્યંત જી ને આગ્રહ કરીશું કે અમારી ભાવનાઓને અમિત શાહ જી ને અવગત કરાવી દે.
Delhi: Haryana Chief Minister Manohar Lal Khattar and Deputy Chief Minister Dushyant Chautala arrive at Ministry of Home Affairs (MHA) to meet Home Minister Amit Shah. pic.twitter.com/sLbQntlozL
અમિત શાહ સાથે મુલાકાત પહેલા દુષ્યંત ચૌટાલા એક ફાર્મ હાઉસમાં પોતાની પાર્ટીના બધા ધારાસભ્યો સાથે બેઠક કરી ચૂક્યા છે. હરિયાણામાં ખેડૂત આંદોલનના રાજનીતિક પ્રભાવને જોતા ચૌટાલાએ આ બેઠક બોલાવી હતી. જેથી પોતાના ધારાસભ્યોને ગઠબંધનમાં એકજુથ બનાવી રાખે. ઉલ્લેખનીય છે કે ભાજપાએ 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 90 સીટોમાંથી 40 સીટો પર જીત મેળવી હતી. તેને જનનાયક જનતા પાર્ટીના 10 ધારાસભ્યો અને સાત અપક્ષ ધારાસભ્યોના સહયોગથી સરકાર બનાવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર