સંતોષ કુમાર, બેગૂસરાયઃ કોરોના સંક્રમણ (CoronaVirus)ને રોકવા માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન (Lockdown)ની વચ્ચે પણ બિહારમાં અપરાધીઓનું તાંડવ સતત ચાલુ છે. તાજેતરનો મામલો બેગૂસરાય (Begusarai) જિલ્લાના સામ્હો પોલીસ સ્ટેશન હદના સોનબરસાનો છે. જ્યાં અપરાધીઓએ ઘરના દરવાજે જ એક યુવકની ગોળી મારીને હત્યા (Murder) કરી દીધી. મળતી માહિતી મુજબ, યુવક ખેતી કરતો હતો અને તેનું નામ સુનીલ શર્મા હતું. જે સમયે તે ઘરે ઊંઘી રહ્યો હતો તે સમયે અપરાધીઓએ તેને પોતાનો નિશાન બનાવ્યો અને ગોળી મારી દીધી.
યુવકનું ઘટનાસ્થળે જ મોત
જ્યાં સુધી લોકો કંઈ સમજે તે પહેલા સુનીલ શર્માનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. હત્યાની આ ઘટનાને કયા કારણે અંજામ આપવામાં આવ્યો છે તેના કારણોની હજુ સુધી જાણ નથી થઈ. હાલ પોલીસે લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, 12 કલાકની અંદર બેગૂસરાયમાં અપરાધીઓએ બે મોટી ઘટનાઓને અંજામ આપ્યો છે. આ પહેલા રવિવારની સવારે જ ચેરિયા બરિયારાપુર પોલીસ સ્ટેશનની હદાન મુસહરી બગીચામાં એક યુવકની ફંદામાં લટકેલી લાશ મળી હતી.
આ પણ વાંચો, લૉકડાઉનમાં ફોટો શૂટ કરાવવા જતા યુવકે બાઇક સવારે મારી ગોળી, હાલત ગંભીર
12 કલાકમાં બે મામલા
જોકે, આ ઘટનામાં હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે મૃતક રામચંદ્ર સહનીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી કે કોઈએ હત્યા કર્યા બાદ લાશને ઝાડથી લટકાવી દીધી હતી. બંને મામલામાં પોલીસ તપાસમાં લાગી ગઈ છે પરંતુ લૉકડાઉનની વચ્ચે રવિવાર સવારે ખેડૂતની હત્યાએ ફરી એકવાર બેગૂસરાય પોલીસની કાર્યવાહી પર પ્રશ્ન ઊભા કરી દીધા છે.
આ પણ વાંચો, અમેઝોન, ફ્લિપકાર્ટ લૉકડાઉનમાં નહીં વેચી શકે બિન-જરૂરી સામાન!