Home /News /national-international /સારા સમાચાર! રેલ્વેના ભાડામાં 50%ની છૂટ, સંસદમાં ઉઠી માંગ, આ લોકોને મળશે લાભ

સારા સમાચાર! રેલ્વેના ભાડામાં 50%ની છૂટ, સંસદમાં ઉઠી માંગ, આ લોકોને મળશે લાભ

સંસદીય સ્થાયી સમિતિએ કોરોનાવાયરસ રોગચાળા પહેલા રેલ્વે દ્વારા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી ભાડા રાહતને ફરીથી દાખલ કરવાની ભલામણ કરી છે.

આ છૂટ રેલ્વે દ્વારા વરિષ્ઠ નાગરિકોને મેલ/એક્સપ્રેસ/રાજધાની/શતાબ્દી/દુરંતો ગ્રુપ ટ્રેનોના તમામ વર્ગોના ભાડામાં આપવામાં આવી હતી, પરંતુ કોરોના રોગચાળાને કારણે 20 માર્ચ, 2020ના રોજ પાછી ખેંચી લેવામાં આવી હતી.

નવી દિલ્હી : ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકો માટે સારા સમાચાર છે. સંસદીય સ્થાયી સમિતિએ કોરોનાવાયરસ રોગચાળા પહેલા રેલ્વે દ્વારા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી ભાડા પરની રાહત ફરીથી દાખલ કરવાની ભલામણ કરી છે. ભારતીય રેલ્વે 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષોને ભાડામાં 40 ટકાની છૂટ આપતી હતી. જ્યારે 58 વર્ષ કે તેથી વધુ વયની મહિલા મુસાફરોને ભાડામાં 50 ટકા ડિસ્કાઉન્ટ મળે છે.

આ રાહતો વરિષ્ઠ નાગરિકોને મેલ/એક્સપ્રેસ/રાજધાની/શતાબ્દી/દુરંતો ગ્રુપ ટ્રેનોના તમામ વર્ગોના ભાડામાં આપવામાં આવી હતી. પરંતુ 20 માર્ચ, 2020 ના રોજ પાછી ખેંચી લેવામાં આવી હતી. બીજેપી સાંસદ રાધા મોહન સિંહની આગેવાની હેઠળની રેલ્વે પરની સ્ટેન્ડિંગ કમિટીએ સોમવારે સંસદના બંને ગૃહોમાં રજૂ કરાયેલ અનુદાનની માંગ પરના તેના અહેવાલમાં આ ભલામણ કરી છે.

સંસદીય સમિતિ પહેલાથી જ માંગ કરી ચૂકી છે

ન્યૂઝ એજન્સી PTI અનુસાર, સમિતિએ કહ્યું કે, રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે કોવિડથી સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે, અને રેલવેએ સામાન્ય વૃદ્ધિ હાંસલ કરી છે. સમિતિએ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પર તેના 12મા એકશન ટેકન રિપોર્ટ (17મી લોકસભા)માં પણ આ ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : સાઉદી અરેબિયાએ શા માટે મસ્જિદોમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂક્યો? રમઝાન પહેલા કયા નિયમો લાગુ કરાયા? જાણો...

સમિતિનું કહેવું છે કે, તેને ઓછામાં ઓછા સ્લીપર ક્લાસ અને થર્ડ એસી ક્લાસમાં ધ્યાનમાં લઈ શકાય જેથી નબળા અને ખરેખર જરૂરિયાતમંદ નાગરિકો આ સુવિધાનો લાભ લઈ શકે. જોકે, રેલ્વેએ કહ્યું કે, કન્સેશન ફરી શરૂ કરવાની હાલમાં તેની કોઈ યોજના નથી. કારણ કે પહેલાથી જ તમામ મુસાફરોને 50-55 ટકા છૂટ આપવામાં આવી રહી છે.

તે જ સમયે, ગયા વર્ષે ડિસેમ્બરમાં, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ સ્પષ્ટ કર્યું હતું કે, રેલ્વેમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવેલી છૂટ હાલમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, રેલ્વેનું પેન્શન અને પગાર બિલ ઘણું વધારે છે. આ સિવાય ગયા વર્ષે ભારતીય રેલ્વેએ પેસેન્જર સંબંધિત સેવાઓ માટે 59000 કરોડ રૂપિયાની સબસિડી આપી હતી.
First published:

Tags: Indian railways, Special train

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો