Home /News /national-international /NEETની પરીક્ષામાં ખાલી 6 નંબર આવ્યો તો જીવ આપી દીધો, બાદમાં ખબર પડી તો ટોપર નીકળી

NEETની પરીક્ષામાં ખાલી 6 નંબર આવ્યો તો જીવ આપી દીધો, બાદમાં ખબર પડી તો ટોપર નીકળી

રિઝલ્ટ બાદ વિધી ટેન્શનમાં હતી

પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ વર્ષો-વર્ષ મહેનત કરે છે, પરંતુ ઘણી વખત મહેનત કર્યા પછી પણ સારા માર્ક્સ ન મળવાને કારણે વિદ્યાર્થીઓ હતાશ થઈ જાય છે. આ નિરાશાના કારણે ઘણી વખત તેઓ આત્મહત્યા જેવું પગલું પણ ભરે છે. વર્ષ 2020માં મધ્યપ્રદેશમાં પણ એક વિદ્યાર્થીની સાથે આવું જ કંઈક થયું હતું.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Madhya Pradesh, India
વિદ્યાર્થીઓ NEET પરીક્ષા પાસ કરવા માટે ઘણી મહેનત કરે છે. અનેક પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ વર્ષો-વર્ષ મહેનત કરે છે, પરંતુ ઘણી વખત મહેનત કર્યા પછી પણ સારા માર્ક્સ ન મળવાને કારણે વિદ્યાર્થીઓ હતાશ થઈ જાય છે. આ નિરાશાના કારણે ઘણી વખત તેઓ આત્મહત્યા જેવું પગલું પણ ભરે છે. વર્ષ 2020માં મધ્યપ્રદેશમાં પણ એક વિદ્યાર્થીની સાથે આવું જ કંઈક થયું હતું. ઘટના છિંદવાડાની છે. અહીં વિધિ સૂર્યવંશીએ મોટી આશા સાથે NEETની પરીક્ષા આપી. સખત મહેનત કરી હતી, સારા પરિણામની અપેક્ષા હતી, પરંતુ ટોપર બનવાની આશા રાખતી વિધિએ જ્યારે પરિણામ જોયું તો તે ચોંકી ગઈ. જાણે બધી ઈચ્છાઓ પર પાણી ફરી વળ્યું હોય. 720 માર્કસની પરીક્ષામાં તેણીને માત્ર 6 માર્કસ મળ્યા હતા, તેણી હતાશ થઈ ગઈ, પરેશાન થઈ ગઈ અને અંતે તેણે આત્મહત્યા કરી લીધી.

પોર્ટલ પર પરિણામ ચેક કર્યું


NEET પરીક્ષા આપ્યા પછી, વિધિએ પોર્ટલ પર તેનું પરિણામ તપાસ્યું. તે પરિણામ જોઈને ચોંકી ગઈ. તેણે તેને ફરીથી ચેક કર્યું, પરંતુ તે સ્ક્રીન પર માત્ર 6 નંબર જ જોઈ શકી. આ નંબર મુજબ તે ફેલ હતી. આનાથી વિધીને ખૂબ જ દુઃખ થયું અને અંતે પરિણામ જોયા પછી બીજા દિવસે વિધિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.

આ પણ વાંચોઃ કોરોના સામે લડવા અમારી સંપૂર્ણ તૈયારી, માસ્ક પહેરવાનું રાખો: સંસદમાં બોલ્યા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા


રિઝલ્ટ બાદ વિધી ટેન્શનમાં હતી


વિધિના પિતા ગજેન્દ્રએ તે સમયે મીડિયાને જણાવ્યું હતું કે પોર્ટલ પર તેનું રિઝલ્ટ ચેક કર્યા બાદ વિધિ ટેન્શનમાં આવી ગઈ હતી. પરીક્ષામાં માત્ર 6 માર્કસ મેળવવાથી તેણીને ખૂબ જ દુઃખ થયું, તેણી હારી ગઈ અને અંતે, બે દિવસ પછી, વિધિએ ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. આ ઘટના બાદ પરિવારજનોએ તેના નંબરની તપાસ કરી ત્યારે ખુલાસો થયો. તે આશ્ચર્યજનક હતું. OMR શીટ મુજબ, વિધિને 720માંથી 590 માર્કસ મળ્યા, 6 નહીં, પણ અફસોસ, હવે વિધિ પાછી નહીં આવી શકે. તેણીએ NEETના પરિણામમાં ટેકનિકલ ખામીને સાચી માની લીધી અને આત્મહત્યા જેવું મોટું પગલું ભર્યું.
First published:

Tags: Commit suicide, Girl died, Madhya pradesh

विज्ञापन