ભગવત ગીતામાં લખેલું છે કે, કર્મ કરતા જાવ ફળની ઈચ્છા ન રાખો. ફળ જ્યારે મળવાનું હશે, ત્યારે મળશે. આવું જ કંઈક પંજાબના ડેરાબસ્સીમાં રહેતા 88 વર્ષના વૃદ્ધ સાથે થયું છે. તેમની વૃદ્ધાવસ્થામાં 5 કરોડની લોટરી લાગી છે. આપને જાણીને નવાઈ લાગશે કે, છેલ્લા 40 વર્ષથી તે પંજાબમાં લોટરી ખરીદતા આવ્યા છે. પણ હવે ઢળતી વયે તેમને લોટરી લાગી છે.
વિભાજનના સમયે ભારત આવીને રહેવા લાગ્યા હતા
ડેરાબસ્સીના મહંત દ્વારકા દાસ ખૂબ જ ખુશ છે. વહેલા મોડા પણ તેમના ભાગ્યએ તેમનો સાથ આપ્યો. તેમણે ઉત્તરાયણ પર 5 કરોડ રૂપિયાની બંપર લોટરી ખરીદી હતી. દ્વારા દાસની કહાની 1947થી શરુ થાય છે, જ્યારે તે પોતાના પરિવાર સાથે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. અહીં આવીને તેમણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. પોતાના નસીબને અજમાવીને તેણે લોટરી ખરીદવાનું શરુ કર્યું. જો કે, 40 વર્ષ સુધી તેમની કિસ્મત ખુલી નહીં. જો કે, હવે તેમને લોટરી લાગવાની વાત સાંભળી તો, તેમને વિશ્વાસ નથી બેસતો.
An 88-year-old man wins Rs 5 crore lottery in Punjab's Derabassi
I'm feeling happy. I've been buying lotteries for the last 35-40 years. I will distribute the winning amount among my two sons and to my 'Dera': Mahant Dwarka Dass, lottery winner (19.01) pic.twitter.com/D36zgCbWrR
ન્યૂઝ એજન્સી એએનઆઈના અનુસાર, દાસે કહ્યું કે, હું ખુશી અનુભવી રહ્યો છું. હું છેલ્લા 35-40 વર્ષોથી લોટરી ખરીદી રહ્યો છું. હું જીતની રકમ પોતાના બે દીકરા અને પોાના ડેરામાં વહેંચીશ.દાસના દીકરા નરેન્દ્ર કુમાર શર્માએ જણાવ્યું છે કે, તેમના પિતાએ પોતાના પૌત્રને લોટરીની ટિકિટ ખરીદવાનું કહ્યું હતું. પિતા દાસની લોટરી લાગવાની ખુશીથી સમગ્ર પરિવાર ખુશીથી ઝૂમવા લાગ્યા છે.
આસિસ્ટેંટ લોટરી ડિરેક્ટર કરમ સિંહના જણાવ્યા અનુસાર, રકમમાંથી 30 ટકા ટેક્સ કાપ્યા બાદ દાસને વધેલા રુપિયા મળશે. ડિરેક્ટરે જણાવ્યું કે, પંજાબ રાજ્ય લોહડી મકર સંક્રાંતિ બંપર લોટરી 2023નું રિઝલ્ટ 16 જાન્યુઆરીએ ઘોષિત કરવામાં આવ્યું હતું. તેમણે 5 કરોડ રૂપિયાનું પ્રથમ ઈનામ જીત્યું છે. નિર્ધારિત પ્રક્રિયા પુરી કર્યા બાદ 30 ટકા ટેક્સના કાપ બાદ તેમને રકમ આપવામાં આવશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર