Home /News /national-international /Mission Paani: અમેરિકાના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અલ ગોરે લીધી જલ પ્રતિજ્ઞા, જલવાયુ સંકટ પર કરી વાત

Mission Paani: અમેરિકાના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અલ ગોરે લીધી જલ પ્રતિજ્ઞા, જલવાયુ સંકટ પર કરી વાત

Mission Paani: અમેરિકાના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અલ ગોરે લીધી જલ પ્રતિજ્ઞા, જલવાયુ સંકટ પર કરી વાત

હાર્પિક-ન્યૂઝ 18 મિશન પાની અભિયાન (Mission Paani Campaign)અંતર્ગત આયોજિત જલ પ્રતિજ્ઞા કાર્યક્રમમાં અમેરિકાના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અલ ગોર પણ સામેલ થયા

નવી દિલ્હી : હાર્પિક-ન્યૂઝ 18 મિશન પાની અભિયાન (Mission Paani Campaign)અંતર્ગત આયોજિત જલ પ્રતિજ્ઞા કાર્યક્રમમાં અમેરિકાના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અલ ગોર પણ સામેલ થયા છે. અલ ગોરે આ પ્રસંગે દુનિયાના લોકોને પાણીની જરૂરત સમજવાની સલાહ આપી હતી. ખાસ વાત એ છે કે જલ પ્રતિજ્ઞા દિવસના (Jal Pratigya Diwas)પ્રસંગે અભિનેતા અક્ષય કુમાર, ઉપ રાષ્ટ્રપતિ એમ વૈંકયા નાયડુ, જલશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત જેવા ઘણા મોટા સ્ટાર્સ સામેલ થયા હતા.

અલ ગોરે ગુરુવારે કહ્યું કે દુનિયાના દરેક વ્યક્તિની જવાબદારી છે કે તે જલવાયુ સંકટને ખતમ કરવામાં ભૂમિકા ભજવવા માટે આગળ આવે. વિકસિત અને વિકાસશીલ બંને પ્રકારના દેશોએ સમજવું પડશે કે સ્વસ્થ જીવન માટે પાણી ઘણું જરૂરી છે. આ દરમિયાન અલ ગોરે લોકોને જલ પ્રતિજ્ઞા લેવાની પણ અપીલ કરી હતી. ગોર જાણીતા પર્યાવરણવિદ અને નોબેલ પુરસ્કાર વિજેતા છે.

આ પણ વાંચો - Mission Paani: ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુએ રેન વૉટર હાર્વેસ્ટિંગ દરેક ઘરમાં હોય, તે વાત પર ભાર મૂક્યો

બીજી તરફ ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકયા નાયડુએ કહ્યું કે ભારતમાં પાણીનું સંકટ છે. ભવિષ્યમાં ‘ચલતા હૈ’વાળા વલણથી કામ ચાલશે નહીં. આ કામ ફક્ત સરકારોનું નથી. આપણે સામુહિક રુપથી આવવું પડશે.
" isDesktop="true" id="1047475" >

મિશન પાનીના એમ્બેસેડર અને અભિનેતા અક્ષય કુમારે કહ્યું કે ઘરને સ્વસ્થ રાખવા, શૌચ સાફ કરવા અને સ્નાન માટે પાણીની જરુર છે. તેથી તે આ અભિયાનના ભાગ બન્યા છે. અક્ષય કુમારે કહ્યું કે સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી અને સ્વચ્છ ઘરની સાથે સ્વચ્છ શૌચાલય. આપણા સ્વાસ્થ્ય અને આપણા દેશ માટે આ બાબતો પાયાની છે.
First published:

Tags: Mission Paani, પાણી