ભારતની સંસ્કૃતિ પર મોહી ગઇ વિદેશી યુવતી, સનાતન ધર્મ અપનાવીને હવે કરે છે આ કામ
આનંદગ્રામમાં થતી ખેતીની વિદેશોમાં માંગ છે.
આનંદગ્રામમાં ચિકિત્સા સ્વરોજગાર, શિક્ષા વગેરેની નિ:શુલ્ક સુવિધાઓ પણ ગરીબોને આપવામાં આવે છે. અહીંયા પ્રાકૃતિક ખેતીના માધ્યમથી શાકભાજી, મોટા અનાજ, ફળ વગેરેની ખેતી કરવામાં આવે છે.
ભરતપુર: ભારતમાં આજે પણ એવા આશ્રમો છે જે ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસારની સાથે માનવ અને જીવ સેવાના કામો કરે છે. તેવા જ આશ્રમોમાંથી એક ભરતપુર જિલ્લાના જયપુર-આગરા નેશનલ હાઇવે પર સ્થિત ડહરા-હંતરા ગામની વચ્ચે આવેલ આનંદ આશ્રમ છે. આ માનવ સેવા, સનાતન ધર્મ, મહિલા સશક્તિકરણ, ખેતી, ગૌ સેવા, પ્રાકૃતિક ખેતી વગેરેના કામો કરી દેશ-વિદેશમાં પોતાની ઓળખ બનાવી છે.
આનંદગ્રામ સાથે લગભગ 118 દેશોના લોકો જોડાયેલા છે. જેમા ભારતના તમામ રાજ્યો સામેલ છે. ત્યાં જ અર્જેંટીનાની 35 વર્ષીય એક યુવતી ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઇ અહીંયા ડેરો નાંખી દીધો છે. જે ગ્રામીણ મહિલાઓ સાથે જોડાઇ ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન લઇ રહી છે અને ત્યાં જ 17 વર્ષની ઉંમરે પીએચડી કરીને સનાતન ધર્મને અપનાવીને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરી રહી છે. તે સાધ્વી તરીકે ખેતી સાથે જોડાયેલ તમામ કામો તથા ગ્રામીણ મહિલાઓને ઉપદેશ આપવાની સાથે સાથે પ્રાકૃતિક ચિકિત્સા, યોગ, સંગીત વગેરેનું પણ જ્ઞાન આપી રહી છે.
અવધુતિકાએ જણાવ્યું કે, હું અર્જેંટીનાની રહેવાસી છું અને અમેરિકામાં નોકરી કરૂં છું. હું ભારતીય સંસ્કૃતિથી એ હદે પ્રભાવિત થઇ કે આ આશ્રમ સાથે જોડાઇ લગભગ 6 મહિના સુધી અહીંયા રોકાઇ લોકોની સેવા કરૂં છું. અહીંયા થતી શુદ્ધ ખેતી પણ ખુબ જ પસંદ છે અને ભારતીય લોકો સાથે ખેતીકામ પણ કરૂં છું.
" isDesktop="true" id="1356457" >
તેનું કહેવું છે કે, ભારતીય સંસ્કૃતિની છાપ વિદેશો સુધી પણ છે. આ આશ્રમના માધ્યમથી વિદેશોમાં પ્રચાર થઇ રહ્યો છે કારણ કે અહીંયાની સંસ્કૃતિ અદ્ભુત છે. તેને પરિભાષિત કરવી અશક્ય છે. આજ કારણ છે કે વિદેશી લોકો ભારતીય સંસ્કૃતિ અપનાવી રહ્યા છે.
આનંદગ્રામમાં ચિકિત્સા સ્વરોજગાર, શિક્ષા વગેરેની નિ:શુલ્ક સુવિધાઓ પણ ગરીબોને આપવામાં આવે છે. અહીંયા પ્રાકૃતિક ખેતીના માધ્યમથી શાકભાજી, મોટા અનાજ, ફળ વગેરેની ખેતી કરવામાં આવે છે. અહીંયાની ઉપજની માંગ વિદેશો સુધી છે. જે અહીંયા ઉગે છે તે અહીં આનંદગ્રામમાં આવતા રોગીઓ અને જરૂરીયાતમંદ લોકોને ભોજન સ્વરૂપે આપવામાં આવે છે.
આનંદગ્રામ ભારતપુરના નદબઇ, ભુવાસર, ભરતપુર, રૂપબાસ, બયાના, કુમ્હેર, નગર સહિત મથુરા આગરા, ગ્વાલિય, ફરિદાબાદ, દિલ્હી વગેરે જિલ્લામાં વિશેષરૂપે કાર્યરત છે. આ સિવાય દેશના 27 રાજ્યોમાં સંસ્થાના માધ્યમથી સનાતન ધર્મ, માનવ સેવા, ગૌ સેવા, સ્વરોજગાર વગેરેના કામો કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર