નવી દિલ્હી. કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડે (Sudhanshu Pandey)એ શનિવારે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ઘઉં (Wheat price) અને ઘઉંના લોટના છૂટક ભાવમાં 19 ટકા સુધીનો ઈશારો કરતા કહ્યું કે, સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને કારણે એક કે બે અઠવાડિયામાં સ્થાનિક માર્કેટમાં (domestic market) ઘટાડો (Wheat price cheaper) થવાની ધારણા છે
તેમણે કહ્યું કે, ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં થોડો ઘટાડો થવા સાથે વૈશ્વિક પુરવઠામાં ઘટાડો થવાને કારણે પણ તેની કિંમતોમાં પણ વધારો થયો છે. આ જ કારણ છે કે, ગયા મહિને ઘઉં અને લોટના સ્થાનિક ભાવમાં પણ વધારો થયો હતો.
PDS ને અસર થવાની શક્યતા નથી
ખાદ્ય સચિવે જણાવ્યું હતું કે, ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં સંભવિત ઘટાડો અને સરકારી ખરીદીમાં ઘટાડાથી ઘઉંના પીડીએસને અસર થવાની અપેક્ષા નથી. PDS સરળતાથી ચાલવાનું ચાલુ રાખશે.
કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે
વાણિજ્ય મંત્રાલયના ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT)એ શુક્રવારે રાત્રે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, તેણે નોટિફિકેશનની તારીખે અથવા તે પહેલાં જારી કરાયેલ માન્ય એલઓસી સાથે ઘઉંની નિકાસને મંજૂરી આપી છે.
ખાદ્ય સચિવે કહ્યું, "વૈશ્વિક માંગ વધી રહી હતી અને વિવિધ દેશો પ્રતિબંધો લાદી રહ્યા હતા. ધારણાઓ દ્વારા કિંમતો નક્કી કરવામાં આવી રહી હતી. અમને વિશ્વાસ છે કે, હવે ધારણાઓ પણ કિંમતોને નીચે લાવવા માટે કામ કરશે. આ દિવસોમાં ઘણા પ્રદેશોમાં વૈશ્વિક કિંમતો સાથે આયાત મોંઘવારી છે. ઘઉંના કિસ્સામાં પણ એવું જ થઈ રહ્યું હતું. ઘઉંના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહ્યા છે. અન્ય દેશોના ઘઉં 420-480 ડોલર પ્રતિ ટનના ઊંચા ભાવે વેચાઈ રહ્યા હતા.
તેમણે કહ્યું કે, આવી સ્થિતિમાં ભારતે વધતી જતી સ્થાનિક કિંમતોને નિયંત્રિત કરવા અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવો પડ્યો. આ નિર્ણય ચોક્કસપણે કિંમતોને નીચે લાવવામાં મદદ કરશે. જો કે, તેમણે કહ્યું હતું કે, ભાવમાં કેટલો ઘટાડો થશે તેની આગાહી કરી શકાતી નથી. "પરંતુ સ્થાનિક ભાવ નિઃશંકપણે એક કે બે અઠવાડિયામાં નીચે આવશે".
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર