Home /News /national-international /કરણી સેનાએ 'પદ્માવત'નો વિરોધ ખેંચ્યો પાછો, રિલીઝ કરવામાં કરશે મદદ

કરણી સેનાએ 'પદ્માવત'નો વિરોધ ખેંચ્યો પાછો, રિલીઝ કરવામાં કરશે મદદ

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ને કારણે છેલ્લા ઘણાં મહિનાઓથી દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે શ્રી રાષ્ટ્રિય રાજપૂત કરણી સેનાએ શુક્રવારે તેમની આ ફિલ્મ વિરુદ્ધ આંદોલન પાછુ ખેંચી લેવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું છે કે આ ફિલ્મમાં રાજપૂતનો ભવ્ય ઈતિહાસ બતાવ્યો છે.

શ્રી રાષ્ટ્રિય રાજપૂત કરણી સેનાના મુંબઈ અધ્યક્ષ યોગેન્દ્રસિંહ કટારે કહ્યું છે કે કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામડીના નિર્દેશ પર કેટલાક સભ્યોએ મુંબઈમાં શુક્રવારે આ ફિલ્મ જોઈ અને તેમને લાગ્યું કે આ ફિલ્મ રાજપૂતની વીરતા અને બલિદાનના ઈતિહાસને ગૌરવવંતો દર્શાવે છે અને ફિલ્મ જોઈને રાજપૂતો ગર્વ અનુભવશે.

રાજપૂતોની ભાવના દુભાઈ તેવા અલ્લાઉદ્દીન અને રાણી પદ્માવતી વચ્ચેના કોઈ જ સીન નથી બતાવ્યાં. શ્રી રાષ્ટ્રિય રાજપૂત કરણી સેનાએ જાહેર કર્યું છે કે તેઓ આ વિરોધને પાછો ખેંચે છે અને ફિલ્મને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત જેવા રાજ્યોમાં રિલીઝ કરવામાં મદદ કરશે.
First published:

Tags: Karni sena, Padmavat

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો