મુંબઈ. 25 જાન્યુઆરી, 2023ના રોજ ટીવી એક્ટર શાહીર શેખની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. પત્ની રૂચિકા કપૂરે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી હતી. એ પણ જણાવ્યું કે કેવી રીતે તેણે તેના પિતા અને 16 મહિનાની પુત્રીને આગમાંથી બહાર કાઢ્યાં.
શાહિરના બિલ્ડીંગમાં આગ લાગી હતી
રુચિકા કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ લખીને ફેન્સને આ વિશે જાણકારી આપી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “મને દોઢ વાગ્યે ફોન આવ્યો કે અમારી બિલ્ડિંગમાં આગ લાગી છે. જ્યારે અમે દરવાજો ખોલ્યો ધુમાડાના ગોટાળાના કારણે કંઈ દેખાતું નહોતું. અમે જાણતા હતા કે અમારે રાહ જોવી પડશે. અમારા માટે ત્યાંથી ભાગવું અશક્ય હતું. હું ખૂબ ડરી ગઈ હતી. મેં શાહીરને ફોન કરીને તેના વિશે જણાવ્યું. હું તેને પેનિક કરવા નહોતી માગતી, પણ મને ખાતરી હતી કે તે ટેન્શનમાં આવી જશે.
રુચિકાએ વધુમાં કહ્યું, “મારા પિતા વ્હીલચેર પર છે અને મારી દીકરી માત્ર 16 મહિનાની છે. હું જાણતી હતી કે ભાગવું શક્ય નથી, અમને સંભળાઈ રહ્યું હતું કે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. ધુમાડાથી બચવા અમે ભીનો ટુવાલ લીધો અને તે ઓઢી લીધો. પાછળથી એક ફાયર ફાઈટર અમારી પાસે આવ્યો અને અમને અમારા નાકને ભીના નેપકિનથી ઢાંકવા કહ્યું જેથી અમે બેહોશ ન થઈએ."
રુચિકાએ વધુમાં જણાવ્યું કે શાહીર શેખ અને બ્રધન ઈન લો ફાયર ફાઈટર સાથે તેને બચાવવા આવ્યા હતા. ઘણી મહેનત બાદ તેને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. આ બધામાં 5 વાગી ગયા હતાં. રૂચિકાએ ફાયર ફાઈટરોનો પણ આભાર માન્યો હતો.
સેલેબ્સનું રિએક્શન
રુચિકા કપૂરના આ સમાચાર સાંભળીને કંગના રનૌતથી લઈને આયુષ્માન ખુરાના સુધીના બધા જ પરેશાન થઈ ગયા હતા. આયુષ્માન ખુરાનાએ કહ્યું, "આશા છે કે તમે લોકો સલામત હશો." કંગના રનૌતે કહ્યું, "માફ કરશો કે તમને અને તમારા પરિવારને આમાંથી પસાર થવું પડ્યું. સોનમ કપૂરે કહ્યું, "ઘણી ચિંતાજનક બાબત છે." અન્ય સેલેબ્સ પણ આ વિશે ચિંતિત હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર