Jabalpur News: જબલપુરની ન્યુ લાઈફ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગને કારણે ઘણા લોકોના મોત થયા છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે જ્યારે આગ લાગી ત્યારે તે હોસ્પિટલની આસપાસ હતો. શરૂઆતમાં આગ લાગી હોય તેવું લાગ્યું ન હતું. પરંતુ થોડા સમય બાદ અચાનક કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો.
જબલપુર (Jabalpur)ની ખાનગી હોસ્પિટલ ન્યૂ લાઈફ મલ્ટીસ્પેશિયાલિટીમાં સોમવારે બપોરે ભીષણ આગ (fire broke out in jabalpur hospital) લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત છે. દમોહ નાકા શિવનગર સ્થિત આ હોસ્પિટલમાં આગ લાગતા જ ખળભળાટ મચી ગયો હતો. થોડી જ વારમાં આગ એ આખી હોસ્પિટલને પોતાની ઝપેટમાં લઇ લીધી હતી. જેઓ ઉપરના માળે હતા તેમણે બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. પરંતુ નીચેના માળે રહેલા લોકો પોતાને બચાવી શક્યા ન હતા. માહિતી મળતાની સાથે જ બચાવ ટીમ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેસ્ક્યુ ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ મામલે મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું કે ઘટનાની તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. આ દુર્ઘટના બાદ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે મૃતકોના પરિવારજનો માટે 5-5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીએ આ ઘટનામાં ઘાયલ થયેલા દરેકને 50,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ પહેલા મુખ્યમંત્રીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું- 'જબલપુરની ન્યુ લાઈફ હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં અમૂલ્ય જીવોના અકાળે મૃત્યુના સમાચારથી હૃદય દુઃખી છે. હું પરમાત્માને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોની આત્માને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ ગંભીર નુકસાન સહન કરવાની શક્તિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય. શાંતિ. જબલપુરની એક હોસ્પિટલમાં ભયાનક આગ અકસ્માતના દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. હું સ્થાનિક વહીવટીતંત્ર અને કલેક્ટર સાથે સતત સંપર્કમાં છું. મુખ્ય સચિવને સમગ્ર મામલામાં નજર રાખવા સૂચના આપવામાં આવી છે. રાહત અને બચાવ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
8માં ત્રણ મૃતકોની ઓળખ કરવામાં આવી છે. જેમાં મહિમા, સુહાસિની અને વીર સિંહનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, હાલમાં આ હોસ્પિટલ વિશે વધારે માહિતી નથી. આ કોની હોસ્પિટલ છે, તેમાં કેટલો સ્ટાફ છે તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે કેટલાક લોકો દમોહ નાકાથી નીકળી રહ્યા હતા અને તેઓએ હોસ્પિટલમાં આગ જોઈ. તે સમયે લોકોએ ચીસો પણ સાંભળી હતી. લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પરંતુ આગ એટલી ગંભીર હતી કે ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં આગ ચારે તરફ ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાં જ એસપી સિદ્ધાર્થ બહુગુણા, કલેક્ટર ઇલૈયા રાજા ટી, સીએમએચઓ રત્નેશ કુરારિયા, ફાયર બ્રિગેડ ઓફિસર કુશાગ્ર ઠાકુર, સીએસપી અખિલેશ ગૌર, એએસપી ગોપાલ ખંડેલ, એએસપી પ્રદીપ શેંડે અને 5 પોલીસ સ્ટેશનના ટીઆઈ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે જ્યારે આગ લાગી ત્યારે તે હોસ્પિટલની આસપાસ હતો. શરૂઆતમાં આગ લાગી હોય તેવું લાગ્યું ન હતું. પરંતુ થોડા સમય બાદ અચાનક કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ બધું એટલું ઝડપથી બન્યું કે કંઈ ખબર જ ન પડી. અચાનક ધુમાડો ટોચ પર ઢંકાઈ ગયો અને પછી આગની જ્વાળાઓ દેખાવા લાગી. આગ એટલી જોરદાર હતી કે તેણે એક જ ક્ષણમાં આખી હોસ્પિટલને લપેટમાં લીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો ઉપરના માળેથી બારીમાંથી નીચે કૂદી પડ્યા હતા. નીચે પડી જતાં તેમને ઈજા થઈ હતી. ઘણા લોકોને ગૂંગળામણ થવા લાગી હતી. થોડી જ વારમાં ફાયર બ્રિગેડ અને પોલીસે આવીને મોર્ચો સંભાળી લીધો હતો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર