Home /News /national-international /ફરી તેજ થશે કિસાન આંદોલન, ખેડૂતો 18 ફેબ્રુઆરીએ દેશભરમાં રેલ રોકશે

ફરી તેજ થશે કિસાન આંદોલન, ખેડૂતો 18 ફેબ્રુઆરીએ દેશભરમાં રેલ રોકશે

ફાઇલ ફોટો

સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં ચાર મહત્વના પોઇન્ટ પર નિર્ણય લેવામાં આવ્યો છે, 12 ફેબ્રુઆરીથી રાજસ્થાનના બધા રોડ પર ટોલ પ્લાઝા મુક્ત કરાવવામાં આવશે

નવી દિલ્હી : ત્રણ કૃષિ કાનૂનોને (Farm Laws)રદ કરાવવાની માંગણીને લઈને અડેલા ખેડૂતોએ હવે આક્રમક વલણ અપનાવ્યું છે. સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયમાં આંદોલનને વધારે તેજ કરવા સર્વસંમત્તિથી નિર્ણય લેવામાં આવ્યો છે.

સંયુક્ત મોરચાએ કિસાન ટ્રેક્ટર રેલી અને દેશભરમાં ચક્કા જામ કર્યા પછી હવે 18 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી સાંજના 4 સુધી રેલ રોકો અભિયાન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પછી હવે સરકાર માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.

આ પણ વાંચો - ખેડૂતોને પીએમ મોદીનો સંદેશો, નવા કાનૂન કોઈને બાધ્ય કરતા નથી, આ બિલકુલ વૈકલ્પિક છે

આ સિવાય સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં ચાર મહત્વના પોઇન્ટ પર નિર્ણય લેવામાં આવ્યો છે. 12 ફેબ્રુઆરીથી રાજસ્થાનના બધા રોડ પર ટોલ પ્લાઝા મુક્ત કરાવવામાં આવશે.

આ સિવાય 14 ફેબ્રુઆરીએ પુલાવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના બલિદાનને યાદ કરવામાં આવશે. આ માટે દેશભરમાં કેન્ડલ માર્ચમાં મશાલ જૂલુસ અને અન્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. સંયુક્ત મોરચાએ 16 ફેબ્રુઆરીએ કિસાન મસીહા સર છોટૂ રામની જયંતીના દિવસે દેશભરમાં કિસાન એકજુટતા દેખાડવાનો નિર્ણય કર્યો છે.
" isDesktop="true" id="1071120" >

બીજી તરફ લોકસભામાં પીએમ મોદીએ કૃષિ સુધારો પર ભાર આપતા કહ્યું કે જ્યાં સુધી આપણે ખેતીને આધુનિક નહીં બનાવીએ ત્યાં સુધી આપણે એગ્રીકલ્ચર સેક્ટરને મજબૂત બનાવી શકીશું નહીં. આપણા ખેડૂતો ફક્ત ઘઉંની ખેતી સુધી સિમિત રહે તે વાત ઠીક નથી. જોવું પડશે કે દુનિયામાં કેવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે. એક સમયે હરિયાણાનો એક ખેડ઼ૂત મને તેના ખેતરમાં લઈ ગયો હતો. નાની જમીન તેની પાસે હતી. તેણે મને દેખાડ્યું કે તે દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલની જરૂરિયાત વાળા શાકભાજી ઉગાડે છે. તેને સારો લાભ થાય છે. આ ત્રીસ ચાલીસ વર્ષ પહેલાની વાત છે. આ કમાલની વાત હતી
First published:

Tags: Farm laws, Farmers Protest, Kisan Andolan, New agriculture laws, Protest, ખેડૂતો, મોદી સરકાર