ચેન્નઈઃ તમિલનાડુ (Tamil Nadu)ના કુડ્ડાલોર જિલ્લા સ્થિત નેયવેલી પાવર પ્લાન્ટ (Neyveli Lignite power plant)ના બોઇલર સ્ટેજ-2માં બ્લાસ્ટ થવાના કારણે 6 લોકોનાં મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ મુજબ 13 ઇજાગ્રસ્તોને NLC લિગ્નાઇટ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
હજુ સુધી બ્લાસ્ટના કારણની જાણકારી નથી મળી શકી. અ બ્લાસ્ટ કુડ્ડાલોર (Cuddalore)માં નેયવેલી લિગ્નાઇટ કોર્પોરેશન (neyveli lignite corporation) ના એક બોઇલરમાં થયો. NLCની પોતાની ફાયરફાઇટર ટીમ છે જે બ્લાસ્ટ બાદ બચાવ અભિયાનમાં લાગી ગઈ છે. સાથોસાથ કુડ્ડાલોર જિલ્લા પ્રશાસનની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
Atleast 16 people injured many are struck inside the unit-2.
નોંધનીય છે કે, કુડ્ડાલોર, રાજ્યના પાટનગરથી 180 કિલોમીટર દૂર સ્થિત છે. સાત યૂનિટોમાં 1,470 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. એક બોઇલરમાં બ્લાસ્ટ થઈ ગયો જેના કારણે મોટાપાયે આગ લાગી ગઈ. હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Tamil Nadu: Explosion at a boiler in stage -2 of the Neyveli lignite plant. 17 injured persons taken to NLC lignite hospital. Visuals from the spot. More details awaited. https://t.co/jtaOudE9P0pic.twitter.com/FWKYNsePVO