Home /News /national-international /જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 6 કલાકથી ચાલી રહ્યું છે એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 2 આતંકીને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 6 કલાકથી ચાલી રહ્યું છે એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 2 આતંકીને ઠાર માર્યા

Pulwama Encounter: છુપાયેલા આતંકવાદીઓને પકડવા સુરક્ષા દળોએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન, એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઢાળી દીધા

Pulwama Encounter: છુપાયેલા આતંકવાદીઓને પકડવા સુરક્ષા દળોએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન, એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઢાળી દીધા

શ્રીનગર. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) સ્થિત પુલવામા (Pulwama)ના પુચલમાં બુધવાર-ગુરૂવારની રાત્રે સુરક્ષા દળો (Security Forces) અને આતંકવાદીઓ (Terrorists) વચ્ચે એન્કાઉન્ટર (Pulwama Encounter) શરૂ થયું હતું. આ દરમિયાન ઘટનાસ્થળ પર સેના, અર્ધસૈનિક દળ અને રાજ્ય પોલીસના જવાન તૈનાત છે. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી બંનેની ઓળખ નથી થઈ શકી. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું છે કે સર્ચ ઓપરેશન ચાલુ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોને જાણકારી મળી હતી કે પુચલમાં આતંકવાદીઓ છુપાયા હોઈ શકે છે. ત્યારબાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું.

હજુ સુધી એ જાણકારી નથી મળી શકી કે ત્યાં કેટલા આતંકવાદી છુપાયેલા છે. કાશ્મીર પોલીસના આઇજીપી વિજય કુમારે કહ્યું કે કાશ્મીરમાં 24 કલાકમાં 5 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. તેના માટે પોલીસ અને સુરક્ષા દળો પ્રશંસાને પાત્ર છે.

આ પણ વાંચો, હિમાચલના 6 વાર મુખ્યમંત્રી રહેલા વીરભદ્ર સિંહનું નિધન, IGMCમાં લીધા અંતિમ શ્વાસ

રાજૌરીમાં સેનાએ એલઓસી પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો, પાકિસ્તાની આતંકવાદી ઠાર

આ પહેલા રાજૌરી જિલ્લામાં એલઓસી પર બુધવારે સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરતાં એક પાકિસ્તાની આતંકવાદીને ઢાળી દીધો. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ આ જાણકારી આપી.

આ પણ વાંચો, Jeff Bezos Wealth: અમેઝોનનું CEO પદ છોડ્યું છતાં જેફ બેઝોસની સંપત્તિ અધધ 1,56,98,97,00,00,000 રૂપિયા

" isDesktop="true" id="1112296" >

સૂત્રોએ જણાવ્યું કે, એલઓસી પર ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓને રોકવા માટે થયેલા એન્કાઉન્ટરમાં બે સૈનિકો પણ ઘાયલ થયા. પ્રવક્તાએ જણાવ્યું કે, વહેલી પરોઢે પાકિસ્તાની આતંકવાદીઓએ રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં એલઓસી પાર કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, સેનાના સતર્ક જવાનોએ આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધી અને ફાયરિંગમાં એક આતંકવાદી ઠાર મરાયો. પ્રવક્તાના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા આતંકવાદીનું શબ સુરક્ષા દળોએ પોતાના કબ્જામાં લઈ લીધું હતું.
First published:

Tags: J&K, Jammu and kashmir, Kashmir Police, Pulwama Encounter, Security forces, આતંકવાદ, આતંકી, એન્કાઉન્ટર, પુલવામા