Home /News /national-international /કોરોના કાળમાં રેલીઓને મંજૂરી પર મદ્રાસ હાઇકોર્ટ કોર્ટે કહ્યું, EC અધિકારીઓ સામે હત્યાનો કેસ દાખલ થવો જોઈએ

કોરોના કાળમાં રેલીઓને મંજૂરી પર મદ્રાસ હાઇકોર્ટ કોર્ટે કહ્યું, EC અધિકારીઓ સામે હત્યાનો કેસ દાખલ થવો જોઈએ

ફાઇલ તસવીર.

હાઇકોર્ટે ચૂંટણી પંચને આદેશ કર્યો કે, મતગણતરીના દિવસે પ્રોટોકૉલ લાગૂ કરવાની યોજના 30મી એપ્રિલ સુધી કોર્ટ સમક્ષ રજૂ કરો.

ચેન્નાઈ: મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court) ચૂંટણી પંચ (Election commission)નો કોરોના કાળની બીજી લહેરમાં બહાર આવવા દરમિયાન રાજકીય પક્ષોને ચૂંટણી રેલીઓ (Election rallies)નું આયોજન કરવાની મંજૂરી આપવા બદલ ઉધડો લીધો છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ બેનરજીએ સુનાવણી દરમિયાન કહ્યુ કે, "ચૂંટણી પંચના અધિકારીઓ સામે હત્યાના આરોપનો કેસ દાખલ કરવો જોઈએ."

કોર્ટ બાબતોની વેબસાઇટ લૉના જણાવ્યા પ્રમાણે મુખ્ય ન્યાયાધીશ સંજીવ બેનરજીએ ભારતના ચૂંટણી પંચને કહ્યું કે, "તમારી સંસ્થા કોરોનાની બીજી લહેર માટે જવાબદાર છે." મદ્રાસ હાઇકોર્ટે ચેતવણી આપી કે, જો બીજી મેના રોજ ચૂંટણી પંચ કોરોના પ્રોટૉકોલનું પાલન કરવા માટે યોગ્ય યોજના નહીં ઘડે તો તાત્કાલિક અસરથી મતગણતરી પર રોક લગાવી દેવામાં આવશે.

આ પણ વાંચો: એમ્બ્યુલન્સ ન મળતા પિતાના મૃતદેહને કારની છત પર બાંધીને સ્મશાને પહોંચ્યો દીકરો, પછી જે થયું...

હાઇકોર્ટે કહ્યું, કોઈ જીવતું રહેશે તો...

હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે ચૂંટણી પંચને કહ્યું કે, "લોકોનું સ્વાસ્થ્ય અગત્યનું છે. પરંતુ અહીં તો ચિંતાની વાત એ છે કે બંધારણીય અધિકારીઓને આવી વાત યાદ અપાવવી પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ જીવતો રહેશે ત્યારે તે પોતાના લોકતાંત્રિક અધિકારોની લાભ ઊઠાવી શકશે."

આ પણ વાંચો: IPL 2021: કોરોનાના ડરથી એડમ ઝમ્પા અને કેન રિચર્ડ્સન રમતમાંથી બહાર થયા

મુખ્ય ન્યાયાધીશે કહ્યુ કે, "સ્થિતિ હવે અસ્તિત્વ અને સુરક્ષાની છે. તેના પછી બધુ આવે છે." સુનાવણી દરમિયાન સ્વાસ્થ્ય સચિવ સાથે ચર્ચા વિચારણા બાદ હાઇકોર્ટે ચૂંટણી પંચને આદેશ કર્યો કે, મતગણતરીના દિવસે પ્રોટોકૉલ લાગૂ કરવાની યોજના 30મી એપ્રિલ સુધી કોર્ટ સમક્ષ રજૂ કરો. મુખ્ય ન્યાયાધીશે ચૂંટણી પંચને પૂછ્યું કે, "શું ચૂંટણી રેલીઓનું આયોજન થઈ રહ્યું હતું ત્યારે તમે કોઈ બીજા ગ્રહ પર હતા?"

આ પણ વાંચો: Gold Price Today: સોનાની ખરીદી કરતા પહેલા જાણી લો આજનો 10 ગ્રામનો ભાવ

દેશમાં 24 કલાકમાં એક્ટિવ કેસમાં 1.31 લાખનો વધારો

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસે (Coronavirus) હાહાકાર મચાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (health ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશ (Coronavirus India)માં છેલ્લા 24 કલાકમાં 3.53 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં 2.19 લાખ લોકો સાજા થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,812 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં એક જ દિવસમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં 1.31 લાખનો વધારો થયો છે.

આ પણ વાંચો: બાઇડન બોલ્યા- ભારતે જે રીતે કોરોના સંકટમાં અમારી મદદ કરી હતી, અમે એ રીતે જ મદદ કરીશું
" isDesktop="true" id="1091284" >

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 28.13 લાખ થઈ છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત કુલ કેસની સંખ્યા 1.7 કરોડ થઈ છે. જેમાંથી 1.4 કરોડ લોકો સાજા થયા છે. દેશમાં સાજો થવાનો દર 82.6 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 2812 લોકોનાં મોત સાથે દેશમાં કુલ મોતની સંખ્યા 1,95,123 થઈ છે.
First published:

Tags: Ec, Election 2021, Election commission, Election Rally, Madras high court, હત્યા, હાઇકોર્ટ