OMG: આ રાજ્યમાં હાથી બન્યા યમરાજ, અત્યાર સુધી 10 લોકોને કચડી-કચડીને મારી નાખ્યાં
આ રાજ્યમાં હાથી બન્યા યમરાજ
Terror of Elephants: છત્તીસગઢના ધમતરી જિલ્લામાં સાક્ષાત યમરાજ ફરી રહ્યો છે. તે પણ હાથીના સ્વરૂપમાં. તે ક્યારે કોના પર ગુસ્સે થઈ જાય અને કોનું મૃત્યુ થશે તે કહી શકાય નહીં. અહીં એક નહીં પરંતુ 36 હાથીઓનું ટોળું ફરી રહ્યું છે. તે ઘરમાં ઘૂસીને તોડફોડ કરી રહ્યા છે અને જે પણ સામે આવે છે તેને મારી નાખે છે.
ધમતરી: છત્તીસગઢના ધમતરી જિલ્લામાં સાક્ષાત યમરાજ ફરી રહ્યો છે. તે પણ હાથીના સ્વરૂપમાં. તે ક્યારે કોના પર ગુસ્સે થઈ જાય અને કોનું મૃત્યુ થશે તે કહી શકાય નહીં. અહીં એક નહીં પરંતુ 36 હાથીઓનું ટોળું ફરી રહ્યું છે. તે ઘરમાં ઘૂસીને તોડફોડ કરી રહ્યા છે અને જે પણ સામે આવે છે તેને મારી નાખે છે. આ હાથીઓના હુમલામાં અત્યાર સુધી 10 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
ધમતરી જિલ્લામાં અત્યારે 36 હાથી ફરી રહ્યા છે. તે બે ટોળામાં છે. એક ટોળામાં 2 તિક્ષ્ણ દાંતવાળા છે તો બીજામાં 34 હાથી છે. તેમાં બે તિક્ષ્ણ દાંતવાળુ ટોળું જોખમકારક છે. આ તિક્ષ્ણ દાંતવાળાએ છેલ્લા દોઢ વર્ષમાં 10 લોકોનો જીવ લીધો છે. આમ તો જંગલી હાથી મનુષ્યથી અંતર જ રાખે છે પરંતુ આ બંને તિક્ષ્ણ દાંતવાળા હાથીને જો કોઈ મનુષ્ય દેખાય જા તો તેને છોડતા નથી. તેનો જીવ લઈને જ માને છે. ધમતરી જિલ્લામાં આ બે તિક્ષ્ણવાળા 10 લોકોને બહેરમીથી મારી ચૂક્યા છે. આ બે દાંતવાળા અત્યારે ધમતરી ફોરેસ્ટ રેન્જના અકલા ડોંગરી વિસ્તારમાં ફરી રહ્યા છે. તેમના ડરના કારણે આસપાસના ગામના લોકો આખી રાત જાગે છે અને ધ્યાન રાખે છે. રાતના સમયે આ બે હાથી વસાહતમાં જતા રહે છે ...એટલા માટે જેના મકાન પાક્કા છે તેઓ છત પર સૂઈ જાય છે.
આ હાથીઓ પાકને નુકસાન પહોંચાડે છે. અત્યાર સુધીમાં ડાંગરનો પાક મોટા પાયે નાશ પામ્યો છે. ઘણા ખેડૂતોના ખેતરની ફેંસિંગ આ હાથી તોડી ચૂક્યા છે. રાતના સમયમાં આ હાથીઓ રહેણાક વિસ્તારમાં જતા રહે છે તેથી જેમના મકાન પાકા છે તેઓ છત પર જ સૂઈ જાય છે. આ તાડી, મહુઆ અને લાહનની સુગંધનો પીછો કરતા કાચા ઘરમાં ઘૂસી જાય છે. બધું અસ્ત વ્યસ્ત કરી નાખે છે. કોઈ સામે દેખાય જાય તો તેના પર હુમલો કરી દે છે. વન વિભાગને લોકોને વળતર તરીકે લાખો રૂપિયા આપવા પડે છે. ગામના સાપ્તાહિક બજાર પર પણ આ હાથીઓનો ડર રહે છે. આ બજારોમાં મોટી સંખ્યામાં વેપારીઓ આવે છે. તેમની પાસે વેચવા માટે મહુઆ જેવી વનસ્પતિ હોય છે જેની ગંધ હાથીઓને આકર્ષે છે. જેના કારણે હવે બજારોમાં પણ લોકોને જલ્દીથી પરત ફરવા માટે કહેવું પડી રહ્યું છે.
વન વિભાગ લાચાર
એક તરફ વન વિભાગ હાથીઓથી બચવા માટે માત્ર સતર્કતા અને અપીલ કરવા પુરતું જ મર્યાદિત છે. હાથીઓની ગતિવિધિ પર નજર રાખવા માટે કોઈ આધુનિક સુવિધા નથી. કોઈપણ હાથીને જીપીએસ કોલર લગાવવામાં આવ્યું નથી. આ કારણે નજર રાખવા માટે વન વિભાગની અલગ અલગ ટીમો હાથીઓની પાછળ ચાલતી રહે છે અને વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા લોકેશન અપડેટ કરતી રહે છે. હાથી જો હિંસક ઘટાઓને અંજામ આપે છે તો તેનો સામનો કરવા માટે સ્ટાફ પાસે કોઈ વિકલ્પ નથી હોતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર