Home /News /national-international /ભારતમાં પણ આવી શકે છે તુર્કી જેવી તબાહી? ગુજરાત સહિત આ રાજ્યમાં સૌથી વધુ ખતરો

ભારતમાં પણ આવી શકે છે તુર્કી જેવી તબાહી? ગુજરાત સહિત આ રાજ્યમાં સૌથી વધુ ખતરો

તુર્કીની તબાહીની તસવીર

દેશમાં અને તેની આસપાસના ભૂકંપની દેખરેખ માટે નોડલ સરકારી એજન્સી તરીકે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી કામ કરે છે.

મુંબઇ: તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપ (Turkey Syria Earthquake)ના કારણે અનેક ઇમારતો તૂટી પડી છે. આ કુદરતી આફતે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. અત્યાર સુધી 7900થી વધુ લોકોના મોત થયા છે અને ઘાયલોની સંખ્યા 50 હજાર આસપાસ હોવાનું માનવામાં આવે છે.

ભૂકંપના કારણે તુર્કીની આવી સ્થિતિ જોતા ભારત ભૂકંપ પ્રત્યે કેટલું સંવેદનશીલ છે? તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, ભારતનો લગભગ 59 ટકા ભૂભાગ વિવિધ તીવ્રતાના ભૂકંપ મામલે સંવેદનશીલ છે. આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શહેરો અને નગરો ઝોન -5માં છે. આ ઝોનમાં વધુ તીવ્રતાવાળા ભૂકંપની સંભાવના છે. દેશની રાજધાની ઝોન-4માં છે, જે ખૂબ જ ખતરનાક ગણાય છે.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી અને પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી જિતેન્દ્રસિંહે જુલાઈ 2021માં લોકસભામાં કહ્યું હતું કે, દેશમાં ભૂકંપના નોંધાયેલા ઇતિહાસને જોતાં ભારતની કુલ ભૂમિનો 59 ટકા ભાગ વિવિધ તીવ્રતાના ભૂકંપનો ભોગ બને છે. વૈજ્ઞાનિક માહિતીના આધારે સમગ્ર દેશને સિસ્મિક ઝોનમાં વહેંચવામાં આવ્યો છે.

સૌથી ખતરનાક ઝોન 5 છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 9ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. ઝોન 5માં સૌથી વધુ તીવ્ર ધરતીકંપો આવે છે, જ્યારે ઝોન 2 માં સૌથી ઓછા તીવ્ર ધરતીકંપ આવે છે. દેશનો લગભગ 11 ટકા વિસ્તાર ઝોન 5માં, 18 ટકા વિસ્તાર ઝોન 4માં, 30 ટકા વિસ્તાર ઝોન 3માં અને બાકીનો વિસ્તાર ઝોન-2માં છે. આ વિસ્તારમાં 700થી વધુ વર્ષોથી ટેક્ટોનિક સ્ટ્રેસ છે. જે અત્યારે અથવા 200 વર્ષ પછી રિલીઝ થશે. 2016 માં થયેલા અભ્યાસોના સૂચવ્યા મુજબ મધ્ય હિમાલય પર આની મોટી અસર પડશે.

આ પણ વાંચો: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આત્મા સાથે કરી વાત

મધ્ય હિમાલયનો વિસ્તાર ધરતીકંપની દ્રષ્ટિએ સૌથી સક્રિય પ્રદેશોમાંનો એક છે. 1905માં કાંગડામાં ખૂબ જ ઝડપથી ભૂકંપ આવ્યો હતો. 1934માં બિહાર-નેપાળમાં પણ ભયાનક ભૂકંપ આવ્યો હતો, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 8.2ની હતી અને તેમાં 10,000 લોકો માર્યા ગયા હતા. 1991માં ઉત્તરકાશીમાં આવેલા 6.8ની તીવ્રતાના ભૂકંપમાં 800થી વધુ લોકોના મોત થયા હતા. 2005માં કાશ્મીરમાં 7.6ની તીવ્રતાના ભૂકંપ બાદ આ વિસ્તારમાં 80,000 લોકો માર્યા ગયા હતા.



ઝોન 5માં કયો વિસ્તાર આવે છે?

ઝોન 5માં ગુજરાત, હિમાચલ પ્રદેશ, બિહાર, આસામ, મણિપુર, નાગાલેન્ડ, જમ્મુ-કાશ્મીર અને આંદામાન અને નિકોબારનો સમાવેશ થાય છે. દેશમાં અને તેની આસપાસના ભૂકંપની દેખરેખ માટે નોડલ સરકારી એજન્સી તરીકે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી કામ કરે છે. દેશભરમાં રાષ્ટ્રીય સિસ્મિક નેટવર્ક છે, જેમાં 115 નિરીક્ષણ કેન્દ્રો છે. આ કેન્દ્રો ધરતીકંપની ઘટના પર નજર રાખે છે.
First published:

Tags: Earthquakes, Turkey, ગુજરાત, તુર્કી, દેશવિદેશ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો