Home /News /national-international /Maharashtra Assembly: વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- આ છે ED એટલે એકનાથ-દેવેન્દ્રની સરકાર
Maharashtra Assembly: વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- આ છે ED એટલે એકનાથ-દેવેન્દ્રની સરકાર
ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભામાં કહ્યું કે અમારા ગઠબંધનને જનાદેશ મળ્યો હતો પણ અમને જાણી જોઈને બહુમતથી દુર કરવામાં આવ્યા
Devendra Fadnavis : દેવેન્દ્ર ફડણવીસે કહ્યું - તે પાર્ટી જેણે મને મુખ્યમંત્રી બનાવ્યો તે મારી પાર્ટી મને કહે તો હું ઘરે પણ બેસી જાઉં, સાચા શિવસૈનિકને સીએમ બનાવવામાં આવ્યા
મુંબઈ : મહારાષ્ટ્રના (maharashtra)ડિપ્ટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis)વિધાનસભામાં (Maharashtra Assembly)ઘણા મુદ્દા પર પોતાનો પક્ષ રાખ્યો હતો. ફડણવીસે કહ્યું કે તે પાર્ટી જેણે મને મુખ્યમંત્રી બનાવ્યો જો મારી પાર્ટી મને કહે તો હું ઘરે પણ બેસી જાઉં. આજે હું તમને જણાવું છે આ સરકારમાં ક્યારેય સત્તા માટે સંઘર્ષ નહીં હોય, અમે સહયોગ કરતા રહીશું. લોકો કટાક્ષ કરે છે કે આ ઇડી સરકાર છે, હા આ એકનાથ અને દેવેન્દ્રની સરકાર છે, ઇડી સરકાર છે.
સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભામાં કહ્યું કે અમારા ગઠબંધનને જનાદેશ મળ્યો હતો પણ અમને જાણી જોઈને બહુમતથી દુર કરવામાં આવ્યા હતા. અમે ફરી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના સાથે પોતાની સરકાર બનાવી છે. સાચા શિવસૈનિકને સીએમ બનાવવામાં આવ્યા છે. હું પોતાની પાર્ટીના આદેશ પર ડિપ્ટી સીએમ બન્યો છું.
મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કર્યા પછી ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તે લોકોનો ધન્યવાદ જેમણે પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું. એકનાથ શિંદે બાલાસાહેબ ઠાકરેની વિચારધારાના સાચા અનુયાયી છે. શિંદેને ક્યારેય પોતાના જીવની ચિંતા કરી નથી. તે હંમેશા લોકોની મદદ માટે તૈયાર રહે છે. તેમણે હંમેશા જમીન પર કામ કર્યું છે.
ફડણવીસે કહ્યું કે મેં એક વખત કહ્યું હતું કે હું પાછો આવીશ. જોકે જ્યારે મેં આવું કહ્યું તો ઘણા લોકોએ મારી મજાક ઉડાવી હતી. હું આજે પાછો આવ્યો છું અને તેમને (એકનાથ શિંદે) પોતાની સાથે લાવ્યો છું. હું તે લોકો સાથે બદલો લઇશ નહીં, જેમણે મારી મજાક ઉડાવી હતી. હું તેમને માફ કરી દઇશ. રાજનીતિમાં દરેક વાતને ગંભીરતાથી લેવાય નહીં. આ વિદ્રોહી ધારાસભ્ય ઇડીના કારણે આવ્યા છે જે એકનાથ અને દેવેન્દ્ર છે.
મહારાષ્ટ્રની વિધાનસભામાં એકનાથ શિંદે સરકારે (CM Eknath Shinde) વિશ્વાસમત (eknath shinde government) જીતી લીધો છે. ઉદ્ધવ જૂથના અન્ય એક ધારાસભ્ય શ્યામસુંદર શિંદે વિશ્વાસમત પહેલા એકનાથ શિંદે સમૂહમાં સામેલ થઇ ગયા હતા. ગઇકાલથી લઇને શિવસેનાના 2 ધારાસભ્ય શિંદે જૂથમાં આવી ગયા છે. એકનાથ શિંદેના સમર્થનમાં 164 વોટ પડ્યા હતા. ઉદ્ધવ જૂથની શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના મહાવિકાસ અઘાડી ગઠબંધનના પક્ષમાં 99 વોટ પડ્યા હતા. સદનમાં રહેલા 3 ધારાસભ્યોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર