Home /News /national-international /ગુજરાતમાં 5 બેઠકો જીતી, 13% મત 'બળદમાંથી દૂધ કાઢવા' જેવું, પણ અમે કરી બતાવ્યું: કેજરીવાલ

ગુજરાતમાં 5 બેઠકો જીતી, 13% મત 'બળદમાંથી દૂધ કાઢવા' જેવું, પણ અમે કરી બતાવ્યું: કેજરીવાલ

AAPએ ગુજરાતમાં 5 બેઠકો જીતી

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન પર ટિપ્પણી કરતા કહ્યું કે, ગુજરાતમાં પાંચ બેઠકો અને 13 ટકા મત મેળવવું એ બળદમાંથી દૂધ કાઢવા બરાબર હતું.

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગઢ ગણાતા ગુજરાતમાં તેમની પાર્ટીના પ્રદર્શનને અભૂતપૂર્વ સફળતા ગણાવી છે અને કહ્યું છે કે, પાંચ બેઠકો જીતવી એ "બળદનું દૂધ ચૂસવા જેવું, અશક્ય હતું." પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદની બેઠકને સંબોધતા કેજરીવાલે કહ્યું કે, AAPને 2027માં ગુજરાતમાં ભાજપને સત્તા પરથી હટાવવા અને ત્યાં પોતાની સરકાર બનાવવાનો વિશ્વાસ છે, જેમ કે તેણે આ વર્ષની શરૂઆતમાં પંજાબમાં કર્યું હતું.

બળદમાંથી પણ દૂધ કાઢવામાં આવે: કેજરીવાલ

ગુજરાતમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ લગભગ 13 ટકા મતો સાથે પાંચ બેઠકો જીતી હતી. આ "સિદ્ધિ" માટે પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન આપતા કેજરીવાલે કહ્યું કે, "તાજેતરમાં ગુજરાતના સંબંધમાં, કોઈએ મને કહ્યું કે તમે બળદમાંથી પણ દૂધ કાઢી લાવ્યા છો. ગાયનું દૂધ દરેક લોકો કાઢે છે, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો જીતીને અને 13 ટકા વોટ શેર મેળવીને અમે બળદનું દૂધ કાઢ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત ફોર્મ્યુલા અપનાવશે તો ભાજપના 48 વર્તમાન ધારાસભ્યોની 'ટિકિટ પર તલવાર'

2017માં ગુજરાતમાં 29 બેઠકો પર ચૂંટણી લડવામાં આવી

તેમણે તેમની પાર્ટીની "વિચારધારા"માં વિશ્વાસ દર્શાવવા બદલ ગુજરાતના લોકોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, “આમ આદમી પાર્ટીએ તેના બીજા પ્રયાસમાં પંજાબમાં તેની સરકાર બનાવી હતી. ચિંતા કરશો નહીં, અમે 2027માં ગુજરાતમાં પણ અમારી સરકાર ચોક્કસ બનાવીશું." AAPએ 2017માં ગુજરાત વિધાનસભાની 182માંથી 29 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે પંજાબની 117માંથી 112 બેઠકો પર ચૂંટણી લડી હતી.

2017માં AAPના તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ

જો કે, તે સમયે AAPને ગુજરાતમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને તેના તમામ 29 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. પંજાબમાં 20 બેઠકો જીતીને પાર્ટી રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી બની. કેજરીવાલે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પર કહ્યું કે પાર્ટીની સૌથી મોટી ઉપલબ્ધિ એ રહી છે કે તે ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવા માટે લાયક બની ગઈ છે.

આ પણ વાંચો: બજરંગ દળના કાર્યકરોએ પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો, સિનેમાઘરના પોસ્ટર્સ ફાડી આગ ચાંપી

વિચારધારાને કારણે પાર્ટી ઝડપથી વધી: કેજરીવાલ

તેમણે કહ્યું, 'આપ કદાચ એકમાત્ર એવી પાર્ટી છે જે તેની રચનાના એક વર્ષમાં દિલ્હીમાં સત્તા પર આવી અને 10 વર્ષની અંદર તેણે અન્ય રાજ્ય પંજાબમાં પોતાની સરકાર બનાવી અને હવે તે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે.' તેમણે કહ્યું કે, AAPનો ઝડપી વિકાસ "આપણી વિચારધારા અને કાર્ય" ના કારણે જ આટલા ટૂંકા ગાળામાં શક્ય બન્યું છે.
First published:

Tags: Aam adami party, Arvind kejrival, Gujarat Assembly Election 2022, Gujarat Elections