Rajasthan: દલિત સમાજના લોકો દ્વારા કરવામાં આવેલી મારપીટથી પીડિત 250 દલિત પરિવારોએ શુક્રવારે હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. આ લોકોએ પોતાના ઘરેથી દેવી-દેવતાઓની મૂર્તિઓ અને ફોટાઓનું બેથલી નદીમાં વિસર્જન કર્યું હતું. આ મામલો જિલ્લાના ભૂલોન ગામનો છે. પીડિત સમાજે રાષ્ટ્રપતિથી લઈને જિલ્લા તંત્ર સુધી ન્યાય માટેની માંગ કરી હતી, પણ મારપીટ કરનારા આરોપીઓની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
રાજસ્થાનના બારાં જિલ્લામાં દલિત સમાજના લોકો દ્વારા કરવામાં આવેલી મારપીટથી પીડિત 250 દલિત પરિવારોએ શુક્રવારે હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. આ લોકોએ પોતાના ઘરેથી દેવી-દેવતાઓની મૂર્તિઓ અને ફોટાઓનું બેથલી નદીમાં વિસર્જન કર્યું હતું. આ મામલો જિલ્લાના ભૂલોન ગામનો છે. અહીં રાજ્ય સરકારની વિરુદ્ધ દલિતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.
પીડિત સમાજે રાષ્ટ્રપતિથી લઈને જિલ્લા તંત્ર સુધી ન્યાય માટેની માંગ કરી હતી, પણ મારપીટ કરનારા આરોપીઓની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સમગ્ર મામલો છબડા ક્ષેત્રના ભુલોન ગામનો છે.
જિલ્લા બૈરવા મહાસભા યુવા મોરચાના પ્રમુખ બાલમુકંદ બૈરવાએ જણાવ્યું કે, ભુલોન ગામમાં 5 ઓક્ટોબરે દલિત સમાજના યુવાનો રાજેન્દ્ર અને રામહેત એરવાલે મા દુર્ગાની આરતીનું આયોજન કર્યું હતું. આ યુવકો પર રાહુલ શર્મા અને લાલચંદ લોઢા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સમાજે રાષ્ટ્રપતિથી માંડી જિલ્લા વહીવટી તંત્રને ન્યાયની માગ કરી હતી, પણ મારપીટ કરનારા આરોપીઓની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સમગ્ર મામલો છબડા ક્ષેત્રના ભુલોન ગામનો છે.
શુક્રવારે ગામમાં આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. આ પછી દેવતાઓની મૂર્તિઓ અને તસવીરોનું નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ લોકોનો આરોપ છે કે તેઓએ પોલીસ પ્રશાસન, મુખ્યમંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને ન્યાય માટે અપીલ કરી હતી, પરંતુ ક્યાંયથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જ્યારે આવું થયું ત્યારે સમાજના લોકોએ સામૂહિક રીતે ધર્મ પરિવર્તનકરવાનો નિર્ણય લીધો હતો.
બલમુકંદા બૈરવાએ જણાવ્યું કે, દલિત પરિવારને સતત જાનથી મારી નાખીને ગામમાંથી બહાર કાઢી મૂકવાની ધમકરીઓ આપવામાં આવી રહી છે. જો આરોપીઓની જલ્દી ધરપકડ કરવામાં નહીં આવે તો છબડા એસડીએમ ઓફિસ પર દેખાવો કરવામાં આવશે. તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના અને દલિતો સામે અત્યાચારના મામલાઓમાં વધારો કરવાનો આરોપ લગાવ્યા હતા. આ દરમિયાન રમેશ મરાઠા, બદ્રીલાલ બૈરવા (છીપાબડોદ), છીતરલાલ બૈરવા, પવન, રામહેત બૈરવા, મહેન્દ્ર મીણા (તુર્કીપાડા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ડીએસપી પૂજા નાગરે જણાવ્યું કે પીડિતે પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે, પરંતુ તેમાં સરપંચ પ્રતિનિધિનું નામ લખવામાં આવ્યું નથી. આ ઘટનાની તપાસ ચાલુ છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર