Home /News /national-international /મોદી સરકારે જીવન જરૂરી દવાઓ સસ્તી કરી! કોંગ્રેસ નેતા શશિ થરૂરની રજૂઆત બાદ લેવાયો નિર્ણય

મોદી સરકારે જીવન જરૂરી દવાઓ સસ્તી કરી! કોંગ્રેસ નેતા શશિ થરૂરની રજૂઆત બાદ લેવાયો નિર્ણય

medicine import duty

દવાઓ પર સામાન્ય રીતે 10 ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે, જ્યારે લાઈફ સેવિંગ ડ્રગ્સ કહેવાતી દવાઓની કેટલીક શ્રેણીઓ પર 5 ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે.  આયાત ડ્યુટીમાંથી આ મુક્તિ 1 એપ્રિલ, 2023 થી અમલમાં આવશે. 

નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે કેટલાક કૃચ્છ સાધ્ય  રોગોની સારવારમાં વપરાતી દવાઓ અને ખાદ્યપદાર્થો પરની આયાત પર લાગતી ડ્યૂટી નાબૂદ કરી દીધી છે. સરકારે વિવિધ પ્રકારના કેન્સરની સારવારમાં વપરાતા પેમ્બ્રોલિઝુમાબને પણ કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપી છે. દવાઓ પર સામાન્ય રીતે 10 ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે, જ્યારે લાઈફ સેવિંગ ડ્રગ્સ કહેવાતી દવાઓની કેટલીક શ્રેણીઓ પર 5 ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે.   આયાત ડ્યુટીમાંથી આ મુક્તિ 1 એપ્રિલ, 2023 થી અમલમાં આવશે. આ લાભ વ્યક્તિગત ઉપયોગ માટે આયાત કરાયેલ વિશેષ ટ્રીટમેન્ટ માટે તમામ દવાઓ અને ખોરાક પર ઉપલબ્ધ રહેશે.

કોંગ્રેસ નેતાએ કરી હતી રજૂઆત

કોંગ્રેસના નેતા શશિ થરૂરે થોડા દિવસો પહેલા નાણા પ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખીને દુર્લભ કેન્સરથી પીડિત બાળકીની સારવારમાં ઉપયોગમાં લેવાતી આયાતી દવા પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિની અપીલ કરી હતી.

શું હતી ઘટના?

નિહારિકા નામની આ બાળકીની સારવાર માટે 65 લાખ રૂપિયાના ઈન્જેક્શનની જરૂર હતી. અને આ ઈન્જેક્શન પર પર લગભગ 7 લાખ રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવતો હતો. યુવતીના માતા-પિતા આ ટેક્સ ચૂકવવામાં અસમર્થ હતા અને તેઓએ તેમની સમસ્યા સાંસદ શશિ થરૂરને જણાવી હતી. જેને પગલે હવે સરકારે તમામ દુર્લભ રોગોની સારવારમાં વપરાતી તમામ દવાઓ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી નાબૂદ કરીને લોકોને મોટી રાહત આપી છે. સરકારના આ પગલાથી નિહારિકા જેવા દર્દીઓના કેન્સરની સારવાર માટેનું ઈન્જેક્શન પણ 7 લાખ રૂપિયા સસ્તું થઈ ગયું છે.

આ પણ વાંચો:આડેધડ એન્ટિબાયોટિક્સ દવાઓ લેતા લોકો ચેતજો, અનેક ગંભીર સમસ્યાઓને નોંતરું, જીવ જોખમમાં ન મુકશો

શું છે જોગવાઈ? કયા રોગમાં લાગુ પડે?
કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કેટલીક દુર્લભ બીમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ વ્યક્તિગત રીતે આયાત કરે છે, તો તેણે કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે નહીં. આ માટેનો નિયમ એવો છે કે આ રોગ નેશનલ પોલિસી ફોર રેર ડીસિઝિસ 2021 હેઠળ સૂચિબદ્ધ કરવો જોઈએ.



વ્યક્તિગત આયાતકારે કેન્દ્રીય અથવા રાજ્ય આરોગ્ય સેવાઓના નિયામક અથવા જિલ્લાના જિલ્લા તબીબી અધિકારી/સિવિલ સર્જન દ્વારા જાહેર કરાયેલ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે, જે સાબિત કરે  કે આ રોગ એક દુર્લભ રોગ છે. નોંધનીય છે કે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી અથવા ડશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની સારવાર માટે ઉલ્લેખિત દવાઓને કસ્ટમ ડ્યુટી મુક્તિ પહેલેથી જ આપવામાં આવી છે.
First published:

Tags: Import duty, Medicines, PM Modi પીએમ મોદી