Home /News /national-international /ભૂખ્યા બાળકોના જોર-શોરથી રડવાથી ગુસ્સે ભરાઈ માતા, કરી દીધી પુત્ર-પુત્રીની હત્યા, સળગાવી દીધી લાશ

ભૂખ્યા બાળકોના જોર-શોરથી રડવાથી ગુસ્સે ભરાઈ માતા, કરી દીધી પુત્ર-પુત્રીની હત્યા, સળગાવી દીધી લાશ

મહારાષ્ટ્રના સમાચાર

આરોપી મહિલા, ધુરપદા બાઈ, મહારાષ્ટ્ર (Maharashtra) ના નાંદેડ (Nanded) ભોકર (Bhokar) તાલુકાના પાંડુરણા (Pandurana Village) ગામમાં રહે છે, જ્યાં તેણે 31 મે અને 1 જૂનના રોજ હત્યા કરી હતી

નાંદેડ : મહારાષ્ટ્ર (Maharashtra) ના નાંદેડ (Nanded) જિલ્લાના એક ગામમાં, એક માતાએ કથિત રીતે તેની નવજાત પુત્રી અને 2 વર્ષના પુત્રની હત્યા કરી અને ને લાશને ખેતરમાં સળગાવી દીધા. મહારાષ્ટ્ર પોલીસે શુક્રવારે આ મામલાની માહિતી આપી છે. પોલીસનું કહેવું છે કે, આરોપી મહિલા ધુરપદા બાઈ ગણપત નિમલવાડ (30)એ તેની માતા અને ભાઈ સાથે મળીને બાળકોના મૃતદેહને સળગાવી દીધા હતા. આ મામલે ત્રણેય આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી મહિલા, ધુરપદા બાઈ, ભોકર તાલુકાના પાંડુરણા ગામમાં રહે છે, જ્યાં તેણે 31 મે અને 1 જૂનના રોજ હત્યા કરી હતી. આરોપી મહિલાએ પહેલા તેની નવજાત પુત્રી અનુસુયાનું ગળું દબાવી દીધું જે માત્ર 4 મહિનાની હતી. બીજા દિવસે તેણે તેના પુત્ર દત્તની હત્યા કરી. પોલીસનું કહેવું છે કે, પુત્ર ભૂખ્યો હતો અને તે માતા પાસેથી ખાવાનું માંગી રહ્યો હતો, ત્યારબાદ તે જોર જોરથી રડવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં માતા ધુરપદા બાઈએ તેનું ગળું દબાવીને હત્યા કરી હતી.

આ પણ વાંચોપાકિસ્તાન: ટિકિટ વગર ટ્રેનમાં ચઢી યુવતી, TC સહિત 2 રેલવે કર્મચારીઓ AC કોચમાં લઈ ગયા અને....

ખેતરમાં સળગાવી દીધી લાશ, માતા અને ભાઈ પણ બન્યા આરોપી

આરોપી મહિલા ધુરપદા બાઈએ પુત્રી અને પુત્રના મૃતદેહોને ખેતરમાં સળગાવી દીધા હતા. આ કામમાં તેમની માતા કોંડાબાઈ રાજમોડ અને ભાઈ માધવ રાજમોડ બંને મુખેડ તાલુકાના રહેવાસી હતા. પોલીસે બંનેની આરોપી તરીકે ધરપકડ કરી છે. અધિકારીએ જણાવ્યું કે, ત્રણેય આરોપીઓ સામે IPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
First published:

Tags: Maharashtra, Maharashtra News, Maharashtra police, મહારાષ્ટ્ર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો