India Fights Corona, 6 August 2021: કેરળ (Kerala Corona Cases) રાજ્યમાં કોરોનાની સ્થિતિ સ્ફોટક થઈ ગઈ છે. ગુરૂવારે અહીં વધુ 22,040 લોકો સંક્રમિત થયા છે. જેના કારણે દેશમાં 24 કલાકમાં કુલ સંક્રમિતોની સંખ્યા 44 હજારને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 44,643 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 464 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,18,56,757 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 49,53,27,595 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. ગુરૂવારના દિવસમાં દેશમાં વધુ 57,97,808 ડોઝ વેક્સીન આપવામાં આવી છે.
નોંધનીય છે કે, કોવિડરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 10 લાખ 15 હજાર 844 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 41,096 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.4 ટકા છે. હાલમાં 4,14,159 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,26,754 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 5 ઓગસ્ટ, 2021 સુધીમાં ભારતમાં કુલ 47,65,33,650 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના 24 કલાકમાં 16,40,287 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોના કેસો (Corona Cases in Gujarat)ની સંખ્યામાં થોડો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 24 કેસ નોંધાયા છે. જેની સામે 31 દર્દીઓ સાજા થયા છે. જોકે બુધવાર કરતા આજે ગુરુવારે કોરોનાની કેસ વધ્યા છે. બુધવારે 15 કેસ જ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10076 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. અત્યાર સુધીમાં 3,50,01,034 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine) આપવામાં આવ્યા છે. આજે કુલ 5,81,466 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 8, સુરતમાં 7, વડોદરામાં 4, આણંદમાં 4, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢમાં 2-2, જામનગર, નવસારી, સાબરકાંઠામાં 1-1 સહિત કુલ 31 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 206 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 200 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 814696 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર