Corona Treatment in India: કોરોનાના કેસ ફરીથી વધી રહ્યાં છે. જેની પાછળ કોરોનાના (Coronavirus new treatment) નવા વેરિયન્ટ જવાબદાર છે.આવી સ્થિતિમા મહારાષ્ટ્રના કોવિડ ટાસ્ક ફોર્સના (Covid task force) સભ્ય ડૉ. શશાંક જોશીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) થી ચેપગ્રસ્ત 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો તેમની સારવાર પેરાસિટામોલથી (Paracetamol) શરૂ કરી શકે છે.
હીલ ફાઉન્ડેશન દ્વારા ઓનલાઈન શો Health4All ના લેટેસ્ટ એપિસોડમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલના એન્ડોક્રિનોલોજિસ્ટ જોશીએ જણાવ્યું હતું કે, જો 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને બે દિવસ સુધી સતત તાવ હોય તો ડૉક્ટરો મોલનુપીરાવીર જેવી એન્ટિવાયરલ દવાઓ લખી શકે છે.
વધુમાં તેમણે કહ્યું, "60 વર્ષથી ઓછી ઉંમરના ઓમિક્રોન દર્દીઓમાં જેમાં કોઈ અન્ય વિશેષ રોગ નથી તે પેરાસિટામોલ સાથે લક્ષણોની સારવાર શરૂ કરી શકે છે."
જો કે, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને, સગર્ભા સ્ત્રીઓને અથવા જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય તેમને પેરાસિટામોલ લેવી જોઈએ નહીં.
અગાઉ, એવા અહેવાલો આવ્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોવેક્સિન સાથે પેરાસીટામોલ 500 મિલિગ્રામની ગોળીઓ બાળકોને આપવામાં આવી રહી છે. કોવેક્સિન ભારતમાં કિશોરો માટે એકમાત્ર માન્ય કોવિડ રસી છે. રસી નિર્માતા ભારત બાયોટેકે સ્પષ્ટતા કરી છે કે, કોવેક્સિન રસી અપાયા પછી કિશોરો માટે પેરાસિટામોલ અથવા પેઇનકિલરની ભલામણ કરવામાં આવતી નથી.
જોશીએ "ઉચ્ચ જોખમ ધરાવતા વસ્તી જૂથના દર્દીઓ જેમ કે, હાયપરટેન્સિવ, ડાયાબિટીસ, રોગપ્રતિકારક શક્તિ ઓછી દવાઓ લેતા લોકો, વરિષ્ઠ નાગરિકો, અન્ય બિમારીઓ ધરાવતા લોકોએ લક્ષણોની શરૂઆતના 72 કલાકની અંદર પેરાસિટામોલનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી.
જ્યારે પણ આપણને કોઈ નવો રોગ થાય અને તે સતત વિકસિત થઈ રહ્યો હોય, ત્યારે સારવારની નવી પદ્ધતિઓ પણ હોવી જરૂરી છે. જો કે, તે માટે સૌથી વધુ સંવેદનશીલ લોકોને ઓળખવા અને તે મુજબ દવા લખવાનું ડોકટરો પર નિર્ભર છે.
મૌલાના આઝાદ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન વિભાગના ડાયરેક્ટર પ્રોફેસર, ડૉ. નંદની શર્મા, મહામારીના વિશે જણાવે છે કે, "અમે આશા રાખીએ છીએ કે, ઓમિક્રોન વેવ તેટલી જ ઝડપથી ઘટશે જેટલી તે વધશે. ઉપર જેમ જેમ વધુને વધુ લોકો રસી મેળવે છે, તેમ તેમ બીમારીની તીવ્રતા અને અવધિ પણ અગાઉ જોવામાં આવેલા ભિન્નતાઓ કરતા ઓછી થવાની સંભાવના છે. વાઈરસની પરિવર્તનશીલતા અને નવા પ્રકારો ઉત્પન્ન કરવાની ક્ષમતાને લીધે, અમે કોવિડ મહામારી ક્યારે સમાપ્ત થશે તેની ચોક્કસ આગાહી કરી શકતા નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Coronavirus, Omicron variant, કોરોના વાયરસ, ભારત