Coronavirus Updates in India, 2 September 2021: ભારતમાં કોરોના સંક્રમણ (India Corona Cases) ફરીથી ટેન્શન વધારી રહ્યું છે. એક જ દિવસમાં 47 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંકે પણ 500ના આંકને વટાવી દીધો છે. કેરળમાં સંક્રમણનો કહેર (Kerala Corona Pandemic) સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 32 હજારથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આ ઉપરાંત 173 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ બીજું રાજ્ય જેમાં કોવિડ-19 કેસ વધી રહ્યા છે તે છે મહારાષ્ટ્ર. અહીં (Maharashtra Corona New Cases) એક દિવસમાં 4,456 કેસ નોંધાયા છે અને 183 દર્દીનાં મોત થયા છે. તો ગુજરાતમાં તહેવારોની ઉજવણી વચ્ચે પણ સંક્રમણના કેસ (Corona Cases in Gujarat) કાબૂમાં છે અને છેલ્લા 24 કલાકમાં 13 નવા કેસ નોંધાયા છે અને એક પણ દર્દીનું મોત નથી થયું.
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 47,092 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 509 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,28,57,937 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 66,30,37,334 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 81,09,244 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને ભારતમાં 3 કરોડ 20 લાખ 28 હજાર 825 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 35,181 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,89,583 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,39,529 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 1 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 52,48,68,734 કોરોના સેમ્પલનંક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના 24 કલાકમાં 16,84,441 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં તહેવારોની ઉજવણી વચ્ચે પણ સંક્રમિત લોકોની સંખ્યા ઓછી નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 13 કેસ નોંધાયા છે. જેની સામે 10 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10081 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 7,48,051 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 4,70,09,216 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં નવા કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં 4, સુરતમાં 2, વડોદરામાં 6, રાજકોટમાં 1 સહિત કુલ 13 કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં 1, સુરતમાં 1, વડોદરામાં 5, ગાંધીનગરમાં 2, જૂનાગઢમાં 1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 153 એક્ટિવ કેસ છે, જેમાં 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 149 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815201 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર