કોવિડ આઈસોલેશનથી લઈને સારવાર સુધી - WHOએ વાયરસને લઈને નવી ગાઈડલાઈન્સ જાહેર કરી
હવે માસ્ક પહેરવું ફરજિયાત!
WHO COVID Guidelines: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કોરોના વાયરસને કાબુ કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. WHOએ કહ્યું કે, તેઓએ 'ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવા, કોવિડ-19 સારવાર અને ક્લિનિકલ મેનેજમેન્ટ' પર તેમની માર્ગદર્શિકા અપડેટ કરી છે.
જીનીવા: વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના વધતા સંક્રમણથી ચિંતા વધી છે. કોવિડ-19 સંક્રમણના તાજા કેસોએ બીજી લહેર આવવાની શક્યતા ઊભી કરી છે. આ દરમિયાન, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ આ જીવલેણ વાયરસને રોકવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. WHOએ કહ્યું કે, તેઓએ 'ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવા, કોવિડ-19 સારવાર અને ક્લિનિકલ મેનેજમેન્ટ' પર તેમની માર્ગદર્શિકા અપડેટ કરી છે.
કોવિડ-19ના નવા પ્રકારોના ફેલાવા વચ્ચે WHO એ દરેકને માસ્ક પહેરવાનું ચાલુ રાખવા અને વાયરસના ફેલાવાને રોકવા માટે રસીના બૂસ્ટર ડોઝ લેવા વિનંતી કરી છે.
WHO નવીનતમ માર્ગદર્શિકા
આઇસોલેશન પિરિયડઃ WHOએ કહ્યું કે, જો કોવિડ-19ના દર્દીઓમાં વાયરસના લક્ષણો દેખાય છે, તો તેમણે લક્ષણોની શરૂઆતની તારીખથી ઓછામાં ઓછા 10 દિવસ સુધી આઇસોલેટ (અલગ) રહેવું પડશે.
અગાઉની WHO માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું હતું કે, કોવિડ-19 દર્દીઓ જે સંક્રમણના સંકેતો દર્શાવે છે, તે લક્ષણોની શરૂઆતના 10 દિવસ પછી રજા આપવામાં આવે છે, આ ઉપરાંત લક્ષણો અદૃશ્ય થઈ ગયાના ઓછામાં ઓછા 3 દિવસ પછી સાવચેતી રાખવી જોઈએ.
WHOએ એમ પણ કહ્યું કે, જો કોવિડનો દર્દી એન્ટિજેન આધારિત રેપિડ ટેસ્ટમાં નેગેટિવ જોવા મળે છે, તો તેને આઇસોલેશનમાંથી વહેલી રજા આપી શકાય છે.
-WHOએ પોતાની અપડેટ ગાઈડલાઈનમાં કહ્યું કે, કોવિડ લક્ષણો વગર સંક્રમિત છે, જેમના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, પરંતુ તેમના કોરોના સંક્રમણના કોઈ લક્ષણો દેખાતા નથી, તેમણે 5 દિવસ માટે આઈસોલેશનમાં રહેવું જોઈએ. જણાવી દઈએ કે, અગાઉ આ દર્દીઓ માટે આઈસોલેશનનો સમયગાળો દસ દિવસનો હતો.
માસ્ક પહેરવા માટેની માર્ગદર્શિકા
વિશ્વભરમાં કોવિડ -19 ના હાલના પ્રસારને ધ્યાનમાં રાખીને, WHO એ બધા માટે માસ્ક પહેરવાની ભલામણ કરી છે. WHOનું કહેવું છે કે, આ જીવલેણ વાયરસથી બચવા માટે જાહેર સ્થળોએ માસ્ક પહેરવું હજુ પણ મહત્વપૂર્ણ છે.
તેના નિવેદનોમાં WHO એ વૈશ્વિક સ્તરે કોવિડ -19 ના વર્તમાન પ્રસારને ધ્યાનમાં રાખીને 'રોગચાળાની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના' બધા માટે માસ્ક પહેરવાની ભલામણ કરી છે.
આ પરિસ્થિતિઓમાં લોકોએ માસ્ક પહેરવું
- જો કોઈ તાજેતરમાં કોવિડ-19 સંક્રમિતના સંપર્કમાં આવ્યું હોય - જ્યારે કોઈને કોરોના સંક્રમણ હોય અથવા તેની શંકા હોય - જ્યારે કોઈ વ્યક્તિ ગંભીર COVID-19 નું ઉચ્ચ જોખમમાં હોય - ભીડવાળા, બંધ અથવા નબળા વેન્ટિલેશન સ્થળોએ રહેતા લોકોએ માસ્ક પહેરવા જ જોઈએ
કોવિડ -19 ની સારવાર
WHO એ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં નિમટ્રેલવીર-રિટોનાવીરના ઉપયોગને લઈને તેની મજબૂત ભલામણને વિસ્તારી છે. WHO એ અન્ય બે દવાઓ, સોટ્રોવિમાબ અને કેસિરિવિમાબ-ઇમડેવિમાબની પણ સમીક્ષા કરી અને કોવિડ-19ની સારવાર માટે તેનો ઉપયોગ ન કરવા ભલામણ કરી છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર