Home /News /national-international /કોરોના સંક્રમણમાં ખતરનાક ઉછાળો, એક સપ્તાહમાં વધ્યા 67% કેસ, 41% વધુ મોત

કોરોના સંક્રમણમાં ખતરનાક ઉછાળો, એક સપ્તાહમાં વધ્યા 67% કેસ, 41% વધુ મોત

તાજેતરમાં કેલિફોર્નિયાના સંશોધકોએ કરેલા સંશોધનથી ફલિત થયું હતું કે, પ્રોજેસ્ટેરોનમાં એન્ટી ઈંફલામેટ્રી ગુણધર્મો છે. જેનાથી સાઇકોટિક સ્ટોર્મ નામના ઘાતક ચેપને રોકી શકાય છે.

ભારતમાં 9 સપ્તાહ બાદ સૌથી વધુ 1239 લોકોએ જીવ ગુમાવ્યા, જોકે રાહતની વાત એ છે કે અગાઉની તુલનામાં મોતનો દર ખૂબ ઓછો છે

નવી દિલ્હી. દેશભરથી હવે કોરોના (Coronavirus)ના ડરાવનારા આંકડા સામે આવી રહ્યા છે. ગત એક સપ્તાહ દરમિયાન સંક્રમણના નવા કેસમાં 67 ટકાનો વધારો થયો છે. આ સાત દિવસો દરમિયાન એક લાખથી વધુ લોકો કોરોના (Covid-19)ની ઝપટમાં આવ્યા છે. આ ઉપરાંત ગત એક સપ્તાહ દરમિયાન મોતના દર (Corona Death Ratio)માં પણ 41 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 9 સપ્તાહ બાદ સૌથી વધુ 1239 લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે ભારત (India)માં અગાઉની તુલનામાં મોતનો દર ખૂબ ઓછો છે.

ગત એક સપ્તાહ (15-21 માર્ચ) દરમિયાન દેશભરમાં 2.6 લાખ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે તેની પહેલાના સપ્તાહમાં 1.55 લાખ કેસ સામે આવ્યા હતા. એટલે કે ગયા વર્ષથી લઈને અત્યાર સુધી કોરોનાની ઝડપમાં આ સૌથી મોટો ઉછાળો છે. આ પહેલા ગયા વર્ષે 20-26 જુલાઈની વચ્ચે 34 ટકા નવા કેસમાં વધારો નોંધાયો હતો. તે સમયે એક સપ્તાહથી બીજા સપ્તાહની તુલનામાં 80 હજાર નવા કેસ સામે આવ્યા હતા.

આ પણ વાંચો, Explained: દેશમાં અચાનક કેમ વધવા લાગ્યા છે COVID-19ના કેસ?

સૌથી મોટો વધારો

રવિવારે ભારતમાં કોરોનાના 47 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા. ગત 130 દિવસ બાદ એક દિવસમાં આટલો મોટો વધારો નોંધાયો છે. આ પહેલા એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં સંક્રમણના કેસ ગયા વર્ષે 11 નવેમ્બરે આવ્યા હતા. પહેલાની જેમ આ વખતે પણ કોરોનાનો સૌથી વધુ માર મહારાષ્ટ્ર પર પડ્યો છે. રવિવારે અહીં 30 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા.

આ પણ વાંચો, PANને આધાર સાથે કરી લો લિંક નહીં તો આપવો પડશે 10 હજાર રૂપિયાનો દંડ, જાણો સમગ્ર પ્રોસેસ

" isDesktop="true" id="1081909" >


વધી રહ્યો છે મોતનો આંકડો

વાયરસના સંક્રમણને કારણે હવે મોતની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં 213 લોકોનાં મોત થયા છે. 13 જાન્યુઆરી બાદ પહેલીવાર આ આંકડો 200ની પાર પહોંચ્યો છે. એટલે કે 72 દિવસમાં મોતનો આ સૌથી મોટો આંકડો છે. મહારાષ્ટ્રમાં જ 99 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. પંજાબમાં 44, કેરળમાં 13 અને છત્તીસગઢમાં 10 અને તમિલનાડુમાં 9 લોકોનાં મોત થયા છે.
First published:

Tags: Corona vaccine, Coronavirus, Covid vaccine, ICMR, Maharashtra, Pandemic, Quarantine, અમદાવાદ, ગુજરાત, દિલ્હી, ભારત, મુંબઇ

विज्ञापन